Thursday, June 25, 2026
Homenationalપુત્ર મોદી સરકારમાં મંત્રી બન્યો પણ માતા-પિતા ખેતરમાં મજૂરી કરે છે

પુત્ર મોદી સરકારમાં મંત્રી બન્યો પણ માતા-પિતા ખેતરમાં મજૂરી કરે છે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

દેશમાં રાજકારણીઓના અને ખાસ કરીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઠાઠ માઠ રાજા મહારાજાઓ જેવા હોય છે.રાજકારણીઓના વીઆઈપી કલ્ચર વચ્ચે એક કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે. મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી બનેલા એલ મુરૂગનના માતા પિતા આજે પણ આકરા તાપમાં ખેતરમાં મજૂરી કરતા દેખાય છે.તાજેતરના કેબિનેટ વિસ્તરણમાં મુરૂગનને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે પણ તેમના માતા વરૂદમ્મલ અને પિતા લોગનાથન કહે છે કે, અમે શું કરીએ પુત્ર જો કેન્દ્રીય મંત્રી બની ગયો હોય તો, અમને મોદી કેબિનેટમાં પુત્રને સ્થાન મળ્યુ તે માટે ગૌરવ છે પણ અમે તેનો શ્રેય લેવા માંગતા નથી. પુત્રની કેરિયરમાં અમારૂ કોઈ ખાસ યોગદાન નથી.એક અંગ્રેજી અખબારે તેમની મુલાકાત લીધી હતી. અખબારના અહેવાલ પ્રમાણે વરૂદમ્મલ અને લોગનાથન એક ઝુપડીમાં રહે છે. તેઓ ક્યારેક ખેતરમાં કામ કરે છે તો ક્યારેક કુલીના કામ કરી છે. સરવાળે તેઓ રોજનુ કમાઈને રોજનુ ખાનારા છે. પુત્ર કેન્દ્રીય મંત્રી છે તેનાથી તેમને ફરક પડ્યો નથી. પુત્ર મંત્રી બન્યા પછી પણ તેમણે ખેતરોમાં કામ કરવાનુ ચાલુ રાખ્યુ છે.2000ની સાલમાં મુરૂગનને તામલિનાડુ ભાજપના પ્રમુખ બનાવાયા ત્યારે તેઓ માતા પિતાને મળવા માટે આવ્યા હતા. માતા પિતાએ શાંતિથી પુત્રનુ સ્વાગત કર્યુ હતુ. પુત્રની સફળતાનુ તેમને ગૌરવ છે પણ તેઓ સ્વતંત્ર રહેવા માટે મક્કમ છે. પાંચ વર્ષ પહેલા તેમના નાના પુત્રની મોત થયુ હતુ. એ પછી પુત્રની પત્ની અને બાળકોની જવાબદારી પણ તેઓ સંભાળે છે.મુરૂગન અંગે તેમના પિતા કહે છે કે, તે પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો. તે કોલેજમાં ભણવા ગયો ત્યારે મારે લોકો પાસે તેની ફી ભરવા માટે પૈસા ઉધાર લેવા પડ્યા હતા. એ પછી અમને મુરૂગન ચેન્નાઈ આવીને રહેવા માટે આગ્રહ કરતો હતો. અમે ક્યારેક ત્યાં જતા અને થોડા દિવસ તેની સાથે રહેતા હતા.જોકે તેની લાઈફ સ્ટાઈલ એવી હતી કે, અમને ત્યાં ફાવતુ નહોતુ. એટલે અમે ગામમાં પાછા ફરી ગયા હતા.મુરૂગને મંત્રી બન્યા બાદ તેમની સાથે વાતચીત કરી હતી. ત્યારે માતા પિતાએ તેમને પૂછ્યુ હતુ કે, ભાજપ પ્રમુખનુ પદ મોટુ હોય કે કેન્દ્રીય મંત્રીનુ ગામના સરપંચ કહે છે કે, મુરૂગનના માતા પિતાની જિંદગીમાં કોઈ બદલાવ નથી આવ્યો. સરકાર કોવિડ સમયે રાશન આપી રહી હતી ત્યારે તેઓ પણ લોકોની સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા. બંને પોતાની સાદગી માટે જાણીતા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here