Friday, June 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના સેના કેમ્પમાં શહીદ સ્મારક ઉપર અંજલિ

અમદાવાદના સેના કેમ્પમાં શહીદ સ્મારક ઉપર અંજલિ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ,તા.૨૬
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૨૦મા કારગિલ વિજય દિવસ અવસરે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના સેનામથકે શહીદ સ્મારક ખાતે વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. મુખ્યમંત્રીએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધના ભવ્ય વિજયને વધાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિજય સહિત ભારતે દુશ્મન દેશ સાથેના તમામ યુદ્ધમાં શૌર્ય-વીરતા અને પરાક્રમથી વિજય પ્રાપ્ત કર્યો છે, જેનાથી દેશ આખો ગૌરવાન્વિત છે. મુખ્યમંત્રીએ ભારતીય સેનાના વીર જવાનોની શહાદતને નમન કરતા રાજ્યના સૌ નાગરિક ભાઈ-બહેનોને દેશહિત સર્વોપરીનો ભાવ જગાવી દેશ માટે જીવવું – દેશ માટે મરવુંનો શૌર્યસભર કોલ આપ્યો હતો. તેમણે આ સંદર્ભમાં હમ દિન ચાર રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે…ની પંક્તિઓ પણ દોહરાવી હતી. વિજય રૂપાણીએ ગુજરાતી યુવાઓ સેનામાં જોડાવા માટે વ્યાપકપણે પ્રેરિત થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા વધુ પ્રમાણમાં આર્મી ભરતી મેળા યોજવાની તથા રાજ્યમાં વધુ સૈનિક સ્કૂલ્સ શરૂ કરવાની પણ નેમ વ્યક્ત કરી હતી. તેમણે આ સાથે જ ગોલ્ડન કટાર ડિવિઝન યોજિત શસ્ત્ર પ્રદર્શની ખુલ્લી મુકી સેનાના શસ્ત્રોનું રસપૂર્વક નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે ૪,૨૦૦ કિમીનો ૮ રાજ્યોનો પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ આવેલા આર્મી મોટરસાયકલ એક્સ્પિડિશનનું સમાપન કરાવતા વીર સેનાનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. મુખ્યમંત્રીએ ગુજરાત જેવા સીમાવર્તી રાજ્યની દુશ્મન દેશને અડીને આવેલી સરહદની નિગેહબાની કરતા અને સમાજજીવનને શાંતિ-સલામતીનો અહેસાસ કરાવતા સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનની સેવાઓ અને સેનાનીઓની ફરજપરસ્તી- દિલેરીને પણ બિરદાવી હતી. ધારાસભ્ય બલરામ થાવાણી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડીંગ – મેજર જનરલ સંજય શર્મા, બ્રિગેડિયર એ. કે. સિંગ તેમજ ૧૧મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના અફસરો, નિવૃત્ત અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here