Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિકાંડના 5 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિકાંડના 5 આરોપીઓની કરી ધરપકડ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના અને બે વ્યકિતના મોત નીપજવાના ચકચારભર્યા કેસમાં આરોપીઓની ધરપકડ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સતત પ્રયત્નો કરી રહી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટની ધરપકડ કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચને ખાસ ગુપ્ત માહિતી પ્રાપ્ત થઇ હતી આરોપીઓ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો છે અને તેઓ નવા મોબાઇલ વડે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક હતા. ત્યારે બે આરોપીઓની ઉદયપુર અને એક આરોપીની ખેડાથી ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.આ કેસના આરોપી રાહુલ જૈન અને મિલિંદને ઉદયપુરથી દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે ચિરાગ રાજપૂત નામના આરોપીને ખેડાથી પકડી પાડવામાં આવ્યો છે. ચિરાગ રાજપૂત હોસ્પિટલના સીઇઓ છે. આ ઉપરાંત પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટની ધરપકડ કરી છે. એમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડો.પ્રશાંત વજીરાણીના 11 દિવસના રિમાન્ડ પૂરા :

ખ્યાતિકાંડ કેસમાં ધરપકડ કરાયેલા ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડો.પ્રશાંત વજીરાણીના અત્યાર સુધીમાં કુલ 11 દિવસના રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી ડો.વજીરાણીને સાબરમતી જેલમાં એટલે કે, જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. ક્રાઇમબ્રાંચ તરફથી વઘુ રિમાન્ડ નહી માંગતા કોર્ટે આરોપી ડોકટરને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.

ડો. સંજય મૂળજી પટોલીયાએ આગોતરા જામીનની કરી અરજી :

કોઇ જરૂર નહી હોવાછતાં નિર્દોષ દર્દીઓની માત્ર પૈસા કમાવવાની લાલચમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ડિરેકટર ડો. સંજય મૂળજી પટોલીયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણીમાં સોમવારે ન્યાયાધીશ કે.એમ.સોજીત્રાએ ક્રાઇમબ્રાંચના તપાસનીશ અધિકારીને નોટિસ કાઢી કેસની વઘુ સુનાવણી તા.28મી નવેમ્બરે રાખી હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here