Saturday, June 27, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ : વરસાદ બાદથી રોગચાળાના કેસોમાં વધારો

અમદાવાદ : વરસાદ બાદથી રોગચાળાના કેસોમાં વધારો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ, તા.૭
અમદાવાદ શહેરમાં હાલમાં ભારે વરસાદ થયા બાદ હવે રોગચાળાના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનનો માત્ર ૧૦ ઈંચ જ વરસાદ પડ્‌યો હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. તેમાં પણ સાદા મેલેરીયા, ઝેરી મેલેરીયા,ડેંગ્યુ, ચીકન ગુનીયા સહિતના રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ દોડતુ થયું છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વટવા, દાણીલીમડા, વટવા જીઆઇડીસી સહિતના વિસ્તારમાં રહેતા લોકો રોગચાળાના ભરડામાં સપડાયા છે. દુષિત પાણી અને અખાદ્ય પદાર્થના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ઓગસ્ટના એક જ અઠવાડિયામાં ૧૫૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે. જેમાં ઝાડા ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડના ૭૦થી વધુ કેસો નોંધાયા છે. જા કે, અમ્યુકો સંચાલિત અને સરકારી હોÂસ્પટલો સિવાયના રોગચાળામાં સપડાયેલા દર્દીઓનો બિન સત્તાવાર આંક ઘણો મોટો થવા જાય છે. શહેરમાં વકરી રહેલી પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે પાણીજન્ય અને મચ્છરોના બ્રીડીંંગ અને મચ્છરોના કારણે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરમાં ગત સપ્તાહ દરમ્યાન થયેલ ત્રણ ચાર ઈંચ વરસાદના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં મેલેરીયાના ૧૫૦ દર્દીઓ નોંધાયા છે. ગત જુલાઈ માસમાં ઝાડા ઉલ્ટીના ૯૧૧ કેસો, કમળાના ૪૫૩ અને ટાઈફોઈડના ૬૩૯ કેસો અને કોલેરાના ૭ કેસો નોંધાયા છે. જયારે સાદા મેલેરિયાના ૬૫૪, ઝેરી મેલેરિયાના ૨૫, ડેન્ગ્યુના ૧૦૫ અને ચિકનગુનિયાના ૧૩ કેસો નોંધાયા છે. આમ શહેરમાં રોગચાળો વકર્યો છે અને કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર માત્ર નોટિસો અને દંડ વસુલ કરી સંતોષ માની રહી છે. મ્યુનિસિપલના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, દૂષિત પાણીના કારણે કેસોમાં વધારો થાય છે. આજે અમારી ટીમો દ્વારા તમામ ઝોનમાં ઉંડી ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here