Monday, September 14, 2026
HomeEntertainmentકોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો દિલજીત દોસાંઝ ભડક્યો!

કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો દિલજીત દોસાંઝ ભડક્યો!

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જો તમને હજુ પણ આ વાતથી કોઈ વાંધો હોય કે હું ટેલિવિઝન પર કોઈની સામે બેઠો હતો… તો જેટલા ઝંડા બતાવવા હોય, બતાવતા રહો.’

એક્ટર-સિંગર દિલજીત દોસાંઝ હાલમાં તેના ‘ઓરા ટુર’ દરમિયાન કેનેડાના કેલગરીમાં પરફોર્મ કરી રહ્યો હતો. દિલજીતે કોન્સર્ટને ત્યારે અધવચ્ચે જ અટકાવી દીધો જ્યારે તેને જોયું કે કેટલાક પ્રેક્ષકો ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવી રહ્યા હતા. આ વિશે વાત કરતા તેને કહ્યું કે-, ‘જ્યારે પણ તક મળી છે, તેમણે પંજાબ વિશે વાત કરી છે. ચેરિટી કરવી એ તેમનું કામ નથી.’ઇન્ટરનેટ પર વાઈરલ થયેલા વીડિયોમાં કેટલાક દર્શકો ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સિંગર-એક્ટરે અધવચ્ચે જ પોતાનો કોન્સર્ટ રોકી દીધો હતો. પોતાના સાથી પંજાબીઓ તરફથી મળતી ટીકાઓનો જવાબ આપતા તેમણે કહ્યું, ‘મારું કામ ચેરિટી કરવાનું નથી. પરંતુ હું જે પણ પ્લેટફોર્મ પર જાઉં છું, હંમેશા પંજાબ વિશે વાત કરું છું.’દિલજીત દોસાંઝે કોઈપણ ખચકાટ વિના સ્ટેજ પરથી જ તે પ્રદર્શનકારીઓને ફટકાર લગાવી અને સાફ શબ્દોમાં કહ્યું કે કોન્સર્ટનો હેતુ માત્ર મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ છે, નહીં કે કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ કે વિવાદને પ્રોત્સાહન આપવાનો. સિંગરે આગળ કહ્યું, ‘લોકો અવારનવાર કહે છે કે નેશનલ મીડિયા પંજાબ વિશે વધુ વાત નથી કરતું. હું પંજાબ માટે બધે જ ગયો. મેં ત્યાં પંજાબના મુદ્દા ઉઠાવ્યા. જ્યારે પણ જરૂર પડી, મેં મારા રાજ્યને દિલ ખોલીને દાન પણ આપ્યું છે.’ વર્ષ 2025માં, દિલજીત એક્ટર અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) માં આવ્યા હતો અને તેને ત્યાંથી મળેલી રકમ પંજાબમાં પૂર પીડિતોને દાન કરી દીધી હતી. જિમી ફેલનના શોમાં પણ કર્યો પંજાબનો ઉલ્લેખ દિલજીત હાલમાં જિમી ફેલનના શો ‘ધ ટુનાઈટ શો’માં સામેલ થયા હતા, જેના વિશે વાત કરતા તેમણે કહ્યું, ‘હું તો જિમી ફેલનના શોમાં પણ પંજાબ અને ‘ગુરુ નાનક જહાજ’ વાળી ઘટના વિશે વાત કરવા ગયો હતો. હું ત્યાં કોઈ ફિલ્મ કે ગીતના પ્રમોશન માટે ગયો ન હતો. હું ત્યાં પંજાબ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓને દુનિયા સામે લાવવા ગયો હતો, જેથી નેશનલ મીડિયા પણ તેના પર ધ્યાન આપે. 

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here