Wednesday, August 5, 2026
HomeEntertainmentકોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો દિલજીત દોસાંઝ ભડક્યો!

કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો દિલજીત દોસાંઝ ભડક્યો!

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જો તમને હજુ પણ આ વાતથી કોઈ વાંધો હોય કે હું ટેલિવિઝન પર કોઈની સામે બેઠો હતો… તો જેટલા ઝંડા બતાવવા હોય, બતાવતા રહો.’

એક્ટર-સિંગર દિલજીત દોસાંઝ હાલમાં તેના ‘ઓરા ટુર’ દરમિયાન કેનેડાના કેલગરીમાં પરફોર્મ કરી રહ્યો હતો. દિલજીતે કોન્સર્ટને ત્યારે અધવચ્ચે જ અટકાવી દીધો જ્યારે તેને જોયું કે કેટલાક પ્રેક્ષકો ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવી રહ્યા હતા. આ વિશે વાત કરતા તેને કહ્યું કે-, ‘જ્યારે પણ તક મળી છે, તેમણે પંજાબ વિશે વાત કરી છે. ચેરિટી કરવી એ તેમનું કામ નથી.’ઇન્ટરનેટ પર વાઈરલ થયેલા વીડિયોમાં કેટલાક દર્શકો ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સિંગર-એક્ટરે અધવચ્ચે જ પોતાનો કોન્સર્ટ રોકી દીધો હતો. પોતાના સાથી પંજાબીઓ તરફથી મળતી ટીકાઓનો જવાબ આપતા તેમણે કહ્યું, ‘મારું કામ ચેરિટી કરવાનું નથી. પરંતુ હું જે પણ પ્લેટફોર્મ પર જાઉં છું, હંમેશા પંજાબ વિશે વાત કરું છું.’દિલજીત દોસાંઝે કોઈપણ ખચકાટ વિના સ્ટેજ પરથી જ તે પ્રદર્શનકારીઓને ફટકાર લગાવી અને સાફ શબ્દોમાં કહ્યું કે કોન્સર્ટનો હેતુ માત્ર મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ છે, નહીં કે કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ કે વિવાદને પ્રોત્સાહન આપવાનો. સિંગરે આગળ કહ્યું, ‘લોકો અવારનવાર કહે છે કે નેશનલ મીડિયા પંજાબ વિશે વધુ વાત નથી કરતું. હું પંજાબ માટે બધે જ ગયો. મેં ત્યાં પંજાબના મુદ્દા ઉઠાવ્યા. જ્યારે પણ જરૂર પડી, મેં મારા રાજ્યને દિલ ખોલીને દાન પણ આપ્યું છે.’ વર્ષ 2025માં, દિલજીત એક્ટર અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) માં આવ્યા હતો અને તેને ત્યાંથી મળેલી રકમ પંજાબમાં પૂર પીડિતોને દાન કરી દીધી હતી. જિમી ફેલનના શોમાં પણ કર્યો પંજાબનો ઉલ્લેખ દિલજીત હાલમાં જિમી ફેલનના શો ‘ધ ટુનાઈટ શો’માં સામેલ થયા હતા, જેના વિશે વાત કરતા તેમણે કહ્યું, ‘હું તો જિમી ફેલનના શોમાં પણ પંજાબ અને ‘ગુરુ નાનક જહાજ’ વાળી ઘટના વિશે વાત કરવા ગયો હતો. હું ત્યાં કોઈ ફિલ્મ કે ગીતના પ્રમોશન માટે ગયો ન હતો. હું ત્યાં પંજાબ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓને દુનિયા સામે લાવવા ગયો હતો, જેથી નેશનલ મીડિયા પણ તેના પર ધ્યાન આપે. 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here