Monday, June 29, 2026
HomeAhmedabadકાશ્મીર ખીણથી કુલ ૭૦ ત્રાસવાદી આગરા શિફ્ટસુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિમાનથી ત્રાસવાદીને લઇ...

કાશ્મીર ખીણથી કુલ ૭૦ ત્રાસવાદી આગરા શિફ્ટસુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિમાનથી ત્રાસવાદીને લઇ જવાયા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

શ્રીનગર, તા. ૮
કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં આવતીકાલથી સાંબા જિલ્લામાં તમામ સ્કુલો પહેલાની જેમ જ ખુલી જશે. સરકારી કર્મચારીઓને કામ ઉપર પરત ફરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તમામ કર્મીઓની સુરક્ષા અને કામકાજના શાંતિપૂર્ણ માહોલને જાળવવાના પ્રયાસ કરવામાં આવે. પાંચમી ઓગસ્ટના દિવસે રાજ્યસભામાં કલમ ૩૭૦ સાથે સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તે પહેલા જમ્મુ કાશ્મીરમાં મોટાપાયે સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી હતી. રાજ્યમાં ઇન્ટરનેટ અને સ્કુલ કોલેજાને બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ હવે આ વ્યવસ્થાઓને હળવી કરવામાં આવી રહી છે. રાજ્યપાલે લોકોની મૂળભૂત સુવિધા અંગે માહિતી મેળવી છે. બીજી બાજુ કલમ ૩૭૦ની નાબૂદી બાદ હવે એક્શનનો દોર શરૂ થયો છે. આજે કાશ્મીર ખીણમાંથી આશરે ૭૦ ત્રાસવાદીઓ અને અલગતાવાદીઓને આગરા શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ કેદીઓને કઠોર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ વિમાન દ્વારા આગરા લઈ જવામાં આવ્યા છે. આમાથી મોટાભાગના લોકો ત્રાસવાદી અથવા તો પાકિસ્તાનનો સમર્થન ધરાવનાર કટ્ટરપંથીઓ છે. આ તમામને જુદી જુદી ત્રાસવાદી ગતિવિધિ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ રહેવાના કારણે જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. કાશ્મીરથી ખાસ વિમાન કેદીઓને લઇને આગરા પહોંચ્યું હતું. તેમને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં લઇ જવામાં આવ્યા હતા. કેન્દ્રીય સુરક્ષાની બેરેકમાં તેમને રાખવામાં આવ્યા છે. ગુપ્તચર સંસ્થાઓ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. કુખ્યાત કેદીઓને ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોની જેલમાં રાખવામાં આવ્યા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here