કેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ

0
8

ખુશખબર : કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધાર્યો

એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો

કેદારનાથ મંદિરને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. અહીં કોઈ ગઠિયો વીઆઈપી ગેટ તથા નંદીની નજીકમાં જ બે ફેક ક્યૂઆર કોડ લગાવી ગયો હતો. જોકે આ અંગે માહિતી મળતા જ મંદિરની સમિતિએ તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ આ ક્યૂઆર કોડ હટાવાયા હતા. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયૂર દિક્ષીતે કહ્યું કે અમે કડક કાર્યવાહી કરીશું.  કેદારનાથ ધામના મંદિર ખુલવાના એક દિવસ બાદ  26 એપ્રિલે આ ઘટના બની હોઈ શકે છે.  

મંદિરમાં દર્શનનો સમય બદલાયો 

હવામાનના પડકારોને જોતા ચારધામ યાત્રા અંગે તીર્થયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો છે. આ દરમિયાન કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધારી દીધો છે. મંદિર સમિતિના કાર્યાધિકારી આર.સી.તિવારીએ કહ્યું કે હવે સાફ-સફાઈ અને ભોગ ચઢાવવા માટે મંદિરને દોઢ કલાકની જગ્યાએ એક કલાક બંધ રખાશે. બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાડા 3 વાગ્યે મંદિર બંધ્ કરાશે અને સાંજે 4 કલાક ફરી ખોલી દેવાશે.