ગાંધીનગર સહિત અનેક જગ્યાએ પેન્શન કોર્ટ થશે

0
85

અમદાવાદ,તા.૩
રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્વારા ચાર ઝોનમાં ગાંધીનગર, રાજકોટ, બનાસકાંઠા અને સુરત ખાતે તા. ૨૩ ઓગસ્ટ-૨૦૧૯ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવનાર છે, એમ રાજ્ય સરકારના નાણાં વિભાગના નાયબ સચિવ દ્વારા જણાવાયું છે. પેન્શનરોએ તેમની રજુઆત હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નં.૧૭, ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને તા. ૧૩ ઓગસ્ટ-૨૦૧૯ સુધીમાં મોકલવાની રહેશે. પેન્શનરોએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે અને તે અંગેનું ફોર્મ તથા પેન્શન અદાલતના સ્થળ અંગેની વિગત સ્થાનિક જિલ્લા તિજોરી કચેરી/પેટા તિજોરી કચેરી, પેન્શન ચુકવણાં કચેરીએથી મેળવી લેવાના રહેશે. પેન્શન અદાલતના સંબંધિત રજુઆત કર્તા પેન્શનરે જ હાજર રહેવાનું રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.