Tuesday, August 25, 2026
HomeGujaratગ્રાઉન્ડ રિપોર્ટ-2: ગીરના જંગલમાં વનવિભાગ અને રાજકારણીઓની મીઠી નજર નીચે થતા હોય...

ગ્રાઉન્ડ રિપોર્ટ-2: ગીરના જંગલમાં વનવિભાગ અને રાજકારણીઓની મીઠી નજર નીચે થતા હોય છે લાયન શો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ગીરના દલખાણિયા રેન્જમાં 11 સિંહના મોતે ખળભળાટ મચાવી દીધો છે. વનખાતુ અને સરકાર સમગ્ર હકીકત પર ઢાંક પીછાડો કરી રહી છે. પરંતુ સત્ય હકીકત એ છે ગિર વિસ્તારમાં મોટા રાજકારણીના ફાર્મ હાઉસ અને રિસોર્ટ છે. રાજકારણીઓ અને તેના ગેસ્ટ અહીં સિંહ જોવા આવતા હોય છે. આ માટે પૈસા અને રાજકીય વગને લઇ ગેરકાયદે લાયન શો થતા હોય છે. દલખાણીયા રેન્જ લાયન શો માટે ખૂબ જાણીતી છે. આ રેન્જમાં ફાયરિંગથી એક વનકર્મીની હત્યા પણ થઇ હતી. સ્થાનિકો પણ નામ ન દેવાની શરતે કહે છે કે મોટા રાજકારણી ગીરમાં જમીનો ખરીદી ફાર્મ બનાવ્યા છે અને વનખાતાની મીઠી નજર હેઠળ લાયન શો કરી મોજ મજા કરતા હોય છે.

વનવિભાગની નપુંસક જેવી ભૂમિકા

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સિંહને ખોરાકની લાલચમાં વનવિભાગના અમુક સ્ટાફના લોકો પણ લાયન શોમાં ભાગીદાર હોય છે. લોકો સિંહ સહેલાઇથી જોવા મળતા નથી. માટે લાયન શો જેવા ખેલ થાય છે જેમાં સ્થાનિકોની મિલીભગત અને વનવિભાગની મીઠી નજરમાં આવું કરી મોટી રકમ વસૂલવામાં આવતી હોય છે. આવા શો થાય છે તે મોટાભાગના રાજકારણીઓને પણ ખબર હોય છે. છતાં કોઇ દિવસ નક્કર પગલા લેવામાં આવતા નથી, વનવિભાગને જાણે કંઇ ખબર જ ન હોય તેવા ડોળ કરવામાં આવે છે. સામાન્ય નાગરિક સુધી સોશિયલ મીડિયામાં લાયન શોના વીડિયો પહોંચી જાય છે. છતાં વનવિભાગને નથી ખબર, તપાસ કરીશું તેવા બેજવાદારી ભર્યા નિવેદનો કરતા હોય છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ-1: 11 સિંહના મોતમાં કેન્દ્રની ટીમ પણ વનખાતાનો બચાવ કરી રહી છે, ગીરના સિંહ રામભરોસે!

ગીરના સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. અને ગીરકાંઠામા સાવજોનુ રક્ષણ કરવામા તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે ત્યારે નિવૃત આરએફઓ અને વોઇસ ઓફ ફોરેસ્ટના પ્રમુખ શાંતીલાલ રાણવાએ જો સાવજોને બચાવવા હોય તો માલધારીઓને ફરી ગીરમા વસાવવા જોઇએ. તથા જંગલમા ગુજરાતના અધિકારીઓને જ મુકવાની માંગ કરી છે. શાંતીલાલ રાણવાએ વધુમાં જણાવ્યું હતું કે, ગીરમાંથી માલધારીઓને કાઢી મુકવાના તઘલખી નિર્ણયથી ગીરની પ્રાકૃતિક વિરાસત નષ્ટ પામી છે. માલધારીઓને ગીરમાથી દૂર કરતા સિંહોનો ખોરાક પણ ઘટયો છે. તેથી સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. ખરેખર ગીરમા થોડા થોડા અંતરે માલધારીઓને વસાવી તેના થકી જંગલમા પશુઓની સંખ્યા વધારવી જોઇએ. નદી નાળાઓ પર ચેકડેમ બાંધી અહીં પાણીની સમૃધ્ધિ લાવવાની જરૂર છે. વનપાલ, વનરક્ષકો, ટ્રેકર વગેરે નવી દુનિયામા જલ્દી કંઇક કરી લેવાની ભાવનાથી ગીરની શિસ્ત અને પ્રકૃતિના નિયમો ભુલી રહ્યાં છે. તેમને વન્યપ્રાણીઓ પ્રત્યે ઓછો લગાવ છે. આવા કર્મચારીઓ, અધિકારીઓને ઓફિસમા બેસાડી જંગલ અને વન્યપ્રાણીઓ પ્રત્યે સમર્પિત આ વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓને ગીરમા મુકવાની જરૂર છે.

ews/SAU-RJK-HMU-LCL-11-lion-death-ground-report-2-illegal-lion-show-in-gir-forest-gujarati-news-
ews/SAU-RJK-HMU-LCL-11-lion-death-ground-report-2-illegal-lion-show-in-gir-forest-gujarati-news-

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here