Friday, June 5, 2026
HomeGujaratઘોડા વછુટ્યા પછી તબેલાને તાળા/ કૌભાંડના 6 મહિનામાં GLDCને બંધ કરવાનો સરકારનો...

ઘોડા વછુટ્યા પછી તબેલાને તાળા/ કૌભાંડના 6 મહિનામાં GLDCને બંધ કરવાનો સરકારનો નિર્ણય

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

એસીબીએ દરોડા પાડીને જમીન વિકાસ નિગમના અધિકારીઓની 5 ધરપકડ કરી હતી તે વર્તમાનમાં જેલવાસ ભોગવી રહ્યા છે
* જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા
* લોકો પાસેથી લીધેલા પૈસા કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા

ગાંધીનગર /અમદાવાદ: આ વર્ષે એપ્રિલમાં ગુજરાત જમીન વિકાસ નિગમ(GLDC)નું 6 મહિના પહેલા કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં નિગમના કૌભાંડી એમડી સહિતને એસીબી (લાંચ રૂશ્વત વિરોધ શાખા)એ પકડ્યા હતા. કરોડોના કૌભાંડ બાદ સરકાર જાગી હોય તેમ ઘોડા વછુટી ગયા હોય અને બાદમાં તાળાં મારવાનું કામ કરવામાં આવતું હોય તેમ નિગમ બંધ કરવાની રાજ્ય સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. એસીબીએ દરોડા પાડીને જમીન વિકાસ નિગમના 5 જેટલા અધિકારીઓની ધરપકડ કરી હતી તે વર્તમાનમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેમની સામે જેટલા

ફરિયાદોને આધારે એસીબીએ દરોડા પાડ્યા હતા

ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારની સંખ્યાબંધ ફરિયાદોના આધારે આ વર્ષે તા.12 એપ્રિલે એસીબીએ દરોડા પાડ્યા હતા. જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ. 56.50 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ 15મી એપ્રિલે એસીબીની ટીમે પાંચેયના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ. 63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું.

સરકારે એસીબીને કૌભાંડનો રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો

રૂપાણી સરકારે એસીબીને આ કૌભાંડની તપાસ કરીને એક રિપોર્ટ તૈયાર આપવા આદેશ કર્યો હતો. એસીબીની તપાસમાં જમીન વિકાસ નિગમમાં નીચેથી લઈને ઉપર સુધીના અધિકારીઓ તરફથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને એસીબીએ સરકારને રિપોર્ટ આપતા નિગમને તાળું મારવાનો સરકારે નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે જમીન વિકાસ નિગમના કૌભાંડને પગલે કોંગ્રેસે રૂપાણી સરકારને આડેહાથ લીધી હતી અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

બે વર્ષથી કૌભાંડ ચાલતુ

એસીબીની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે ગુજરાતમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા. આ પૈસા જુદી જુદી ઓફિસોના અધિકારીઓ અને એજન્ટો મારફતે કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હતા. આટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતુ હોવાથી એસીબીએ કૌભાંડના જડમૂળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.

નિગમની યોજનાઓ માત્ર કાગળ પર જ હતી

જમીન વિકાસ નિગમની યોજનાઓ માત્ર કાગળ પર હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. ખેત તલાવડી યોજના પણ જમીન વિકાસ નિગમ અંતર્ગત આવતી હતી. તેમજ તે યોજનામાં મોટા પાયે કટકી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here