ચિદમ્બરમ : આજે સુપ્રીમ, સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી

0
26

સીબીઆઈ કસ્ટડી માટે ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજી પર પણ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે


નવી દિલ્હી, તા. ૨૫
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના મામલામાં આવતીકાલે ૨૬મી ઓગસ્ટના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. ચિદમ્બરમના મામલામાં સુપ્રીમ કોર્ટની સાથે સાથે નિચલી કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ગુરુવારના દિવસે જ ટ્રાયલ કોર્ટ દ્વારા ચિદમ્બરમને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા ફરીવાર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બંને અરજીઓ ઉપર અને સાથે સાથે ૨૬મી ઓગસ્ટના દિવસે સીબીઆઈ કસ્ટડી માટે ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર ફેંકતી અરજી ઉપર સુનાવણી થશે. સીબીઆઈની ટુકડી દ્વારા જારદાર દલીલો કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ ગુરુવારના દિવસે ખાસ અદાલતે જામીન માટેની ચિદમ્બરમની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, તમામ પાસા પર વિચારણા થશે. સોલીસીટર જનરલ દ્વારા દાવો કરાયો છે કે, પુરાવા દર્શાવે છે કે, માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ સંપત્તિ ખરીદવામાં આવી છે. ઉપરાંત સેલ કંપનીઓ મારફતે જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

ચિદમ્બરમ જેવા હાઈ મેન્ટલ ફેકલ્ટી વ્યÂક્ત પાસેથી વાસ્તવિક માહિતી કઢાવવા માટે કસ્ટોડિયલ પુછપરછ જરૂરી છે તેવી દલીલો થઇ ચુકી છે. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની Âસ્થતિ જાવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જાકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી.