Friday, June 5, 2026
HomeGujaratછેડતી બાબતે પોરબંદરમાં ભડકો, પોલીસની જીપ દરિયામાં ફેંકી દેવાઈ

છેડતી બાબતે પોરબંદરમાં ભડકો, પોલીસની જીપ દરિયામાં ફેંકી દેવાઈ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

.શનિવારે પોરબંદરના ખારવાડ વિસ્તારમાં કેટલાક યુવાનોએ છોકરીની છેડતી કરી હતી. જેના પરિણામે આ દરિયાઈ વિસ્તારમાં હિંસા, આગચંપી કરવામાં આવી. ઉશ્કેરાયેલા ટોળાના નિશાને પોલીસ હતી. જો કે પોલીસે તો બંદર ચોક રોડ પર બે ટોળા વચ્ચે થતી જૂથ અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો.ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસકર્મીઓને ઈજા થઈ છે. જ્યારે બે ડઝન જેટલા વાહનોમાં આગચંપી કરવામાં આવી, જેમાં પોલીસના વાહનો પણ હતા. પોલીસની એક જીપને દરિયામાં પણ ફેંકી દેવાઈ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને 21 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.જ્યારે લઘુમતિ કોમના કેટલાક યુવકો દ્વારા એક છોકરીની છેડતી કરવામાં આવી ત્યારે ઘટના ઘટી. છેડતી બાદ અન્ય જ્ઞાતિના લોકો એકઠા થવા લાગ્યા હતા. ટોળામાંથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરી. જ્યારે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે છેડતી કરનાર યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.પોલીસે અન્ય જ્ઞાતિના ટોળાને ત્યાંથી જવા માટે સમજાવ્યા. પરંતુ છેડતીથી રોષે ભરેયેલા ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો.પથ્થરમારાની ઘટનામાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધર્મેંદ્રસિંહ દિલુભા અને હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રવતને ઈજા પહોંચી છે. થોડા જ સમયમાં ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોને નિશાન બનાવ્યા. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના PI એસ.એમ.ભટ્ટે કહ્યું કે, “ટોળાએ પોલીસ જીપ દરિયામાં ફેંકી દીધી સાથે જ પોલીસના અન્ય 7 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. 8 ટુ વ્હીલર સહિત 15 ખાનગી વાહનોને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું.”જ્યારે પોલીસની વધારાની ટીમ બોલાવાઈ અને ટીયર ગેસના સેલ છોડાયા ત્યારે આખરે 45 મિનિટની અશાંતિ બાદ રાત્રે 12 વાગ્યે સ્થિતિ પર કાબૂ મેળવાયો. કીર્તિ મંદિર પોલીસે હિંસા ફેલાવનારા 32 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી કલ્પેશ કટેલિયા, ચંદ્રેશ ગિરનારી, નિતેશ ગોહેલ, મિતેશ ગોહેલ, સંદીપ પંજરી અને અક્ષય ખારવાએ પોલીસ હુમલાની દોરવણી કરી હતી. કીર્તિ મંદિરના સબ ઈન્સપેક્ટર આર. એન. ઓડેરા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવાઈ છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here