જાન્યુઆરી ૨૦૧૭ બાદથી તલાકના ૫૭૪ કેસો બન્યા

0
25

નવીદિલ્હી, તા. ૨૫
કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં ત્રિપલ તલાક બિલ ઉપર ચર્ચાની શરૂઆત કરી હતી અને હાલમાં અનેક મામલાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક સાથે ત્રણ તલાક ઉપર પ્રતિબંધ અને સજા માટે કાનૂન ખુબ જરૂરી છે. ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટના આ સંદર્ભમાં ચુકાદા બાદ પણ વિવાદનો ઉકેલ આવ્યો નથી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, મુસ્લમ મહિલા બિલને લઇને ખુબ મહત્વપૂર્ણ બાબત રહેલી છે. જાન્યુઆરી ૨૦૧૭થી હજુ સુધી ૫૭૪ આવા મામલા આવી ચુક્યા છે. એક મિડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, નિકાહ બાદ માત્ર ૧૨ કલાક બાદ એક શખ્સે પÂત્નને તલાક આપી દીધા હતા. કારણ એ હતું કે, પત્ન તમાકુ વાળા બ્રસ સાથે દાંત સાફ કરતી હતી. મોબાઇલ ઓપરેટર પÂત્નના અશ્લિલ વિડિયો બનાવી રહ્યા હતા. વિરોધ કરવામાં આવતા તલાક આપી દેવામાં આવ્યો હતો. આ પ્રકારની સ્થતિમાં શું કરવામાં આવે તે તમામ લોકો સમજી શકે છે. મુÂસ્લમ બહુમતિવાળા દેશો પણ ત્રિપલ તલાકને ખતમ કરી ચુક્યા છે. આ કુપ્રથાનો અંત આવે તે જરૂરી છે. આનો ઇરાદો ખુબ મહત્વપૂર્ણ રહેલો છે.