Sunday, August 30, 2026
Homenationalટૂંકમાં ઇ-ટિકિટ બુકિંગની વ્યવસ્થા વધારે મોંઘી થશે

ટૂંકમાં ઇ-ટિકિટ બુકિંગની વ્યવસ્થા વધારે મોંઘી થશે

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

સ્લીપર ક્લાસના ટિકિટો પર ૨૦ રૂપિયા, એસી બોગીમાં બેઠક માટે પહેલા ૪૦ રૂપિયાના સર્વિસ ચાર્જ લાગૂ હતા
નવી દિલ્હી, તા. ૮
ટ્રેનની સફરના ઓનલાઇન રિઝર્વેશન માટે વધારે ખર્ચ કરવા માટેની તૈયારી રાખવી પડશે. ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે પહેલા ઇ-ટિકિટો ઉપર સર્વિસ ચાર્જ ખતમ કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં જ ફરીથી વસુલ કરવામાં આવશે. પહેલા સ્લીપર ક્લાસમાં ટિકિટ પર ૨૦ રૂપિયા અને એસી બોગીમાં સીટ માટે ૪૦ રૂપિયાના સર્વિસ ચાર્જ લાગૂ થતાં હતા. ત્રીજી ઓગસ્ટના દિવસે રેલવે મંત્રાલયના પત્ર મુજબ મંત્રાલયના સંચાલન ખર્ચ ફરી વસુલવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં માર્કેટિંગ અને વેચાણ સેવાઓનો સમાવેશ થાય છે. નોટબંધીની જાહેરાત પહેલા એટલે કે નવેમ્બર ૨૦૧૬ સુધી ઇટિકિટો ઉપર સર્વિસ ચાર્જ વસુલવામાં આવતો હતો. આઈઆરસીટીસી સર્વિસ ચાર્જ માટે એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ ઇ-ટિકિટિંગ સિસ્ટમ માટે કરવામાં આવતી હતી. સુત્રોના કહેવા મુજબ નાણામંત્રાલય દ્વારા રેલવે મંત્રાલયને સર્વિસ ચાર્જ ન વસુલવા માટેની સલાહ આપી છે. સાથે સાથે એવું વચન પણ આપ્યું છે કે, સંચાલનનો ખર્ચ રિઇમ્બર્સ કરવામાં આવશે. ૧૯મી જુલાઈના દિવસે રેલવેને લખવામાં આવેલા એક પત્રમાં નાણામંત્રાલયે લખ્યું છે કે, ઇ-ટિકિટિંગની વ્યવસ્થાના સંચાલનને લઇને પૂર્ણ કરવા માટે રિઇમ્બર્સમેન્ટની વ્યવસ્થા કામચલાઉ હતી. શરૂઆતમાં આપવામાં આવેલા નિર્દેશ મુજબ સર્વિસ ચાર્જ ન વસુલવાની વ્યવસ્થા જૂન ૨૦૧૭ સુધી રહેવાની હતી પરંતુ મોડેથી અનેક વખત આની સમય મર્યાદા વધારવામાં આવી હતી. હજુ સુધી જુની વ્યવસ્થાને લાગૂ કરવામાં આવી નથી. આ ગાળા દરમિયાન આઈઆરસીટીસીની કમાણી પણ ઘટી ગઈ છે. કારણ કે, સર્વિસ ચાર્જથી થનારી આવક પૈકી રેલવેની કુલ આવકમાં મોટુ અંતર રહેલું છે. નાણામંત્રાલય તરફથી આઈઆરસીટીસીને ૮૮ કરોડ રૂપિયાના રિઇમ્બર્સમેન્ટ થવાની જરૂર હતી પરંતુ આ રકમ પુરતી સાબિત થઇ ન હતી.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here