Monday, September 14, 2026
HomeGujaratAhmedabadનડિયાદ શહેરમાં ૪ ઈંચ, મહુધામાં પોણા ચાર અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ...

નડિયાદ શહેરમાં ૪ ઈંચ, મહુધામાં પોણા ચાર અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નડિયાદ : નાગપંચમીના દિવસે ખેડા જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો. નડિયાદ શહેરમાં ૪ ઈંચ, મહુધામાં પોણા ચાર અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નડિયાદ શહેરમાં ચારેય ગરનાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે મહેમદાવાદના જરાવત ગામે વીજળી પડતાં પશુનું મોત નિપજ્યું હતું.ખેડા જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆતથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભર ચોમાસે સૂર્યના પ્રકોપથી ભેજના વાતાવરણમાં ઉકળાટ અને બફારો વધ્યો હતો. તેવામાં છેલ્લા બે દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. ત્યારે શુક્રવારે નાગ પંચમીના દિવસે વહેલી સવારથી જ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે નડિયાદમાં ચાર ઈંચ, મહુધામાં પોણા ચાર ઈંચ અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.નડિયાદમાં ભારે વરસાદને પગલે શૈશવ હોસ્પિટલના ઢાળથી રબારીવાસ સુધીનો રોડ, વાણિયાવડ, પીજ રોડ સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ શહેરના માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. જેથી શહેર બે ભાગોમાં વહેંચાઈ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરીજનોએ મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડયો હતો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here