Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadનવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!, નહીંતર લાખ રૂપિયાનો...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!, નહીંતર લાખ રૂપિયાનો દંડ થશે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા બનાવતી વખતે નીકળતા ડીમોલીશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરના જાહેર રસ્તા કે ફુટપાથ તેમજ અન્ય જગ્યાએ નિકાલ કરનારા પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. મ્યુનિસિપલ હદ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કે નવા બાંધકામ જેવા કારણોથી ઉતપન્ન થતા માટી,પુરણી,બિલ્ડિંગ ડેબરીઝ વગેરે નાંખવા સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૫ પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. આ પ્લોટમાં નાગરીકોએ તેમના સ્વખર્ચે ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવવાનો રહેશે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ઉતપન્ન થતા ડીમોલીશન વેસ્ટના યોગ્ય નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્ત અમલ કરાવવા તંત્રને તાકીદ કરી છે.કોઈ કારણસર નાગરિકો તેમના મકાનના ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરી શકે એમ ના હોય તે સી.સી.આર.એસ. ઉપર ૧૫૫૩૦૩ નંબર ઉપર ફરિયાદ નોંધાવી નિયત દર ચૂકવી ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવી શકશે.આ એસ.ઓ.પી.સરકારી,મ્યુનિ.ના નવા પ્રોજેકટમાં પણ લાગૂ પડશે.શહેરના સાત ઝોનમાં જાહેર જગ્યા,રસ્તા કે ફુટપાથ ઉપર ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે.

ડીમોલીશન વેસ્ટ ઉપાડવા ચાર્જેબલ વ્યવસ્થા :

નવી એસ.ઓ.પી.મુજબ નાગરિકોના રહેણાંક -ફરિયાદના સ્થળેથી ડીમોલીશન વેસ્ટ ઉપાડવા અંગે એક ટનથી ઓછો ડીમોલીશન વેસ્ટ હોય તો પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા ૫૦૦, પાંચ ટન સુધીના વેસ્ટના નિકાલ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા બે હજાર તથા પાંચ ટનથી વધુ ડીમોલીશન વેસ્ટ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા ૩૫૦૦ વસૂલ કરવામાં આવશે.શહેરમાં રોડ રીસરફેસની કામગીરી દરમિયાન તોડવામા આવેલા રસ્તાઓની નીકળતી ડેબરીઝનો નિકાલ જે તે એજન્સી પાસે મ્યુનિ.ના નકકી કરવામા આવેલા પ્લોટમાં જ નિકાલ કરાવવામા આવશે.ઉપરાંત સર્વિસ પ્રોવાઈડર એજન્સીઓને ઈજનેર વિભાગ તરફથી મંજુરી આપવામાં આવી હોય તેવા ગેસ કનેકશન લાઈન,ઈલેકટ્રીક,ટેલીફોન વગેરે માટે રસ્તા ઉપર કામગીરી કરાયા બાદ માટી કે ડેબરીઝ પડી ના રહે એ માટે કામગીરી કરાશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here