નિકોલમાં ભોજલધામ ફ્લેટ્સ પાસે નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, ૬ દટાયા

0
34

અમદાવાદઃ
નિકોલમાં મનમોહન ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા ૬ લોકો દટાયા હતા. ત્યાર બાદ તેમને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનામાં બીજા ૨ લોકો અંદર હોવાની શક્યતા છે. અત્યારે ફાયર બ્રિગેડના જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે.