Friday, June 26, 2026
HomeGujaratAhmedabadપાંચ જિલ્લામાં ૬૮૧ તળાવ ઉંડા કરાયા છે

પાંચ જિલ્લામાં ૬૮૧ તળાવ ઉંડા કરાયા છે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ,તા.૧૨
રાજ્ય સરકારે વરસાદના વહી જતા પાણીને જે તે ગામમાં જ સંચય કરવાના હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ જળ અભિયાન અંતર્ગત છેલ્લા એક વર્ષમાં સુરત જિલ્લામાં ૨૦૧ તળાવો, બનાસકાંઠા જિલ્લામાં ૨૧૯ તળાવો, જ્યારે છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૧૨૦ તળાવો, વડોદરા જિલ્લામાં ૪૪ તળાવો અને ભરૂચ જિલ્લામાં ૯૭ તળાવો એમ પાંચ જિલ્લાઓમાં કુલ ૬૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે; તેમ વિધાનસભાગૃહમાં વિવિધ ધારાસભ્ય દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ઉંડા કરાયેલા તળાવો અંગેના પ્રશ્નનો પ્રત્યુતર આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. સુરત જિલ્લામાં તારીખ ૩૧મી માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૪૭૩.૪૫ લાખના ખર્ચે ૨૦૧ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે જેના પરિણામે સુરત જિલ્લામાં ૭૧.૩૪૨ મી.ઘનફૂટ જેટલો જળસંગ્રહમાં વધારો થયો છે તેમ સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિ બલરના પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ શરૂ કરાયેલા કામો એપ્રિલથી શરૂ કરીને ચોમાસું આવતા પહેલા જ ઉનાળામાં પૂર્ણ કરી દેવામાં આવે છે, જેથી કરીને પાણીનો યોગ્ય જળસંચય થઈ શકે તેમ મંત્રીએ વધુ વિગત આપતા ગૃહમાં કહ્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here