Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ : 12,000થી વધુ પોલીસ ખડેપગે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

આગામી સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ કરાયા છે. જેના બદલે વાહનચાલકોને અન્ય રૂટનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે. બીજી તરફ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના જુલુસના કાર્યક્રમના પગલે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 12 હજાર પોલીસ કર્મચારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન બે હજારથી વધુ પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.

આગામી 16મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સાથે સોમવારે સવારે 10 વાગ્યાથી વસ્ત્રાપુર અને આસપાસના કેટલાંક રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. જેમાં એનએએફડી ચાર રસ્તાથી દુરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી એનએએફડી સર્કલ સુધીનો રસ્તો પણ તમામ વાહનોના અવરજવર માટે બંધ રહેશે. જ્યારે વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત,આગામી 17મી સપ્ટેમ્બરના રોજ શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલુસ પણ આયોજીત હોવાથી શહેરમાં 12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, ડ્રોનથી સર્વલન્સ, શહેરમાં સીસીટીવીથી નજર રાખવા માટે પોલીસ કંમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here