Saturday, July 18, 2026
HomeIndiaબિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડયો : રૂ. 1410...

બિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડયો : રૂ. 1410 કરોડ પાણીમાં ધોવાયા

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો ચાર લેનનો સુલતાનગંજ-અગુવાની પુલ ત્રીજી વખત શનિવારે તૂટી પડયો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સુલતાનગંજથી અનુવાની ઘાટ તરફ પીલર નંબર નવ અને ૧૦ વચ્ચેનો ભાગ શનિવારે ગંગા નદીમાં સમાઈ ગયો હતો. આ મહાસેતુનું નિર્માણ એસપી સિંગલા કંપની કરાવી રહી છે.ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં બની રહેલો આ પુલ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે. પુલનો એક ભાગ તૂટી પડવાના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોને સલામત અંતરેથી પુલને તૂટી પડતો જોઈ રહ્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળવામાં આવ્યા છે કે પુલ ફરી એક વખત તૂટી પડયો. નોંધનીય છે કે અગાઉ ૪ જૂન ૨૦૨૩ના રોજ સુલ્તાનગંજ- અગુવાની પુલના પાયા નંબર ૧૦, ૧૧, ૧૨ના ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર તૂટી પડયું હતું, જે લગભગ ૨૦૦ મીટર જેટલો ભાગ હતો. આ અકસ્માત પછી પુલ પર ફરજ બજાવતા બે ગાર્ડ પણ ગુમ થઈ ગયા હતા. આ સિવાય ૨૭ એપ્રિલ ૨૦૨૨ના રોજ પણ આ નિર્માણાધિન પુલનું એક સુપર સ્ટ્રક્ચર નદીમાં તૂટી પડયું હતું. તિવ્ર આંધી અને વરસાદમાં અંદાજે ૧૦૦ ફૂટ લાંબો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડયો હતો. જોકે, તે સમયે પણ જાન-માલનું કોઈ નુકસાન થયું નહોતું. ભાગલપુર-સુલ્તાનગંજ અગુવાની પુલ બિહાર સરકારનો ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતો મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું પ્રારંભિક મૂલ્યાંકન રૂ. ૧૭૧૦.૭૭ કરોડ હતું. સીએમ નીતિશ કુમારે ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે, આઈઆઈટી રૂરકીના નિષ્ણાોની એક સમિતિએ આ પુલના માળખાની ચકાસણી કરી હતી. તેમણે પુલના ફાઉન્ડેશન અને સુપરસ્ટ્રક્ચરની ડિઝાઈનમાં ખામી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સીએમ નીતિશ કુમારને તેની કંઈ પડી નથી.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here