Friday, June 5, 2026
HomeIndiaબિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડયો : રૂ. 1410...

બિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડયો : રૂ. 1410 કરોડ પાણીમાં ધોવાયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો ચાર લેનનો સુલતાનગંજ-અગુવાની પુલ ત્રીજી વખત શનિવારે તૂટી પડયો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સુલતાનગંજથી અનુવાની ઘાટ તરફ પીલર નંબર નવ અને ૧૦ વચ્ચેનો ભાગ શનિવારે ગંગા નદીમાં સમાઈ ગયો હતો. આ મહાસેતુનું નિર્માણ એસપી સિંગલા કંપની કરાવી રહી છે.ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં બની રહેલો આ પુલ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે. પુલનો એક ભાગ તૂટી પડવાના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોને સલામત અંતરેથી પુલને તૂટી પડતો જોઈ રહ્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળવામાં આવ્યા છે કે પુલ ફરી એક વખત તૂટી પડયો. નોંધનીય છે કે અગાઉ ૪ જૂન ૨૦૨૩ના રોજ સુલ્તાનગંજ- અગુવાની પુલના પાયા નંબર ૧૦, ૧૧, ૧૨ના ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર તૂટી પડયું હતું, જે લગભગ ૨૦૦ મીટર જેટલો ભાગ હતો. આ અકસ્માત પછી પુલ પર ફરજ બજાવતા બે ગાર્ડ પણ ગુમ થઈ ગયા હતા. આ સિવાય ૨૭ એપ્રિલ ૨૦૨૨ના રોજ પણ આ નિર્માણાધિન પુલનું એક સુપર સ્ટ્રક્ચર નદીમાં તૂટી પડયું હતું. તિવ્ર આંધી અને વરસાદમાં અંદાજે ૧૦૦ ફૂટ લાંબો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડયો હતો. જોકે, તે સમયે પણ જાન-માલનું કોઈ નુકસાન થયું નહોતું. ભાગલપુર-સુલ્તાનગંજ અગુવાની પુલ બિહાર સરકારનો ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતો મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું પ્રારંભિક મૂલ્યાંકન રૂ. ૧૭૧૦.૭૭ કરોડ હતું. સીએમ નીતિશ કુમારે ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે, આઈઆઈટી રૂરકીના નિષ્ણાોની એક સમિતિએ આ પુલના માળખાની ચકાસણી કરી હતી. તેમણે પુલના ફાઉન્ડેશન અને સુપરસ્ટ્રક્ચરની ડિઝાઈનમાં ખામી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સીએમ નીતિશ કુમારને તેની કંઈ પડી નથી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here