Monday, September 14, 2026
HomeIndiaમનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવતા જ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું કરી દીધું...

મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવતા જ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું કરી દીધું એલાન

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Manish Sisodia: દિલ્હી પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને શુક્રવારે કોર્ટથી સૌથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતા 17 મહિના બાદ તેઓ તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તેનાથી આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. દિલ્હીમાં આગામી 6 મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મનીષ સિસોદિયાની મુક્તિ પાર્ટી માટે સંજીવની માનવામાં આવી રહી છે. હવે આ વચ્ચે જેલમાંથી બહાર આવતાં જ મનીષ સિસોદિયાએ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું એલાન કરી દીધું છે.

ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું એલાન :
તેમણે આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા મિશનનું એલાન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ડિપોઝીટ જપ્ત થશે. આ માટે તેમણે AAP કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયારી કરવા માટે કહ્યું છે. ભાજપને બતાવવા માંગુ છું કે, વોટ શોધતાં જ રહી જશો. આજથી જ આપણે કામે લાગી જવાનું છે. દિલ્હીના લોકો હરિયાણાના લોકો આ લડાઈ માત્ર તમારી જ નથી, આ લડાઈ સત્ય અને દેશને બચાવવાની છે. આ લડાઈ તાનાશાહીથી દેશને બચાવવાની છે. APના દિગ્ગજ નેતાએ આગળ કહ્યું કે, ભાજપ માત્ર વિપક્ષના નેતાઓને જ હેરાન નથી કરી રહી. તેઓ ફંડના ધંધામાં મોટા-મોટા વેપારીઓને નોટિસ ફટકારીને જેલ હવાલે કરી દે છે. આ તાનાશાહી નથી તો શું છે? આપણે તેની વિરુદ્ધ લડવાનું છે. આ અગાઉ ગોપાલ રાયે કહ્યું હતું કે, મનીષ સિસોદિયાના જામીન આગામી વિધાનસભામાં ભાજપની ડિપોઝિટ જપ્ત થવાની શરૂઆત છે. મનીષ સિસોદિયાના જામીન એ વાતનું એલાન છે કે, તાનાશાહી કેટલી પણ મજબૂત કેમ ન હોય તેનો પરાજય થાય જ છે અને ભલે વિલંબ થાય પણ સત્યને જીત મળે જ છે. આ દરમિયાન સિસોદિયાએ વધુમાં કહ્યું કે, ‘મને લાગતું હતું કે 7-8 મહિનામાં ન્યાય મળશે પરંતુ 17 મહિના પછી સત્ય અને ઈમાનદારીની જીત થઈ છે. ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં. તેઓએ મારા પર, સંજય સિંહ પર એવી, એવી કલમો લગાડવાનો પ્રયાસ કર્યો, જે આતંકવાદી અને ડ્રગ માફિયાઓ પર લગાડવામાં આવે છે. જેથી જેલમાં જ સડી જાય. પરંતુ તમારા આંસુની અસર એવી થઈ કે જેલના તાળા પણ ઓગળી ગયા. બજરંગ બલિના આશીર્વાદથી જ હું તમારી સામે છું.

મનીષ સિસોદિયાની ધરપકડ :

મનીષ સિસોદિયાની ભ્રષ્ટાચારના કેસમાં CBIએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ અને EDએ 9 માર્ચ 2023ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here