Saturday, July 18, 2026
HomeGujaratAhmedabadમોદી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત પહોંચે તેવી સંભાવના

મોદી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત પહોંચે તેવી સંભાવના

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

બીજી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિએ સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી થશે ઃ અનેક મહાનુભાવો પહોંચશે

અમદાવાદ, તા.૨૫
આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (એમઇએ)ની બેઠકમાં હાજરી આપશે. ઉપરાંત તા.૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધી જન્મજયંતી અને સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવશે. તા.૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારી આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ સાથે યોજાનારી મીટિંગમાં પણ હાજરી આપવાના છે. અત્યાર સુધી એમઇએની ૯ બેઠક યોજાઈ છે અને બધી જ દિલ્હી ખાતે જ યોજાઈ છે. જા કે, ભારતના ઈતિહાસમાં પહેલી વાર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (એમઇએ) તેમની વાર્ષિક બેઠક દિલ્હી બહાર યોજશે. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ કોન્ફરન્સ યોજાવાની છે. આ કોન્ફરન્સમાં ભારતના એમ્બેસેડર્સ, ડિપ્લોમેટ્‌સ અને આખી દુનિયાના હાઈ કમિશનર્સ ભેગા થશે. આ કોન્ફરન્સ આ વખતે ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યભાગમાં યોજાવાની છે. બે દિવસ માટે યોજાનારી આ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને અન્ય ટોચના મહાનુભાવો હાજર રહેશે. તેમાં ભારતના અર્થતંત્રમાં સુધારા અને વિવિધ વિષયો પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે જેમને કોંગ્રેસે આટલા વર્ષ અવગણ્યા હતા. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે આ પ્રતિમા બનાવવાનું સપનુ જોયું હતું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજ ૧૦ હજારથી વધુ સહેલાણીઓ મજા માણવા આવતા હોયછે. હવે એમઇએની મિટીંગ હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન બની શકે છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ(એમઇએ)ની બેઠકને લઇને પણ રાજય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here