અમદાવાદ : હળવા વરસાદના ઝાપટાઓ, ઉત્સુકતા વધી ગઈ

0
30

અમદાવાદ, તા.૨૫
ઘણા લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજા પધરામણી માટે થનગની રહ્યા છે પરંતુ હજુ પણ મન મૂકીને શહેરમાં વરસતા નથી. ત્રણેક દિવસ પહેલાં ઝરમર અને હળવા વરસાદ બાદ આજે ફરી એકવાર મેઘરાજાએ શહેરીજનો પર તેમની આછીપાતળી મહેર સંતાકૂકડી કરતાં વરસાવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં ચાલુ રહ્યા હતા પરંતુ શહેરીજનો મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જાવા મળ્યા હતા. જા કે, આજે અમદાવાદ શહેરમાં વરસેલા હળવાથી ભારે ઝાપટાઓના કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી હતી અને કંઇક અંશે નગરજનોને રાહત થઇ હતી. ત્રણેક દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં ઝરમર અને હળવા વરસાદની પધરામણી બાદ ફરી આજે નગરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. આજે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. તો થોડી થોડી વારે સૂર્યનારાયણ પણ દેખા દેતા હતા. વહેલી સવારથી લઇ બપોરે અને સાંજના સુમારે અમુક અમુક સમયના અંતરે મેઘરાજાએ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમની પધરામણી કરી હતી અને પૂર્વમાં બાપુનગર, નિકોલ, રામોલ, ઓઢવ, રખિયાલ, મણિનગર, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં તો, પશ્ચિમમમાં શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જા કે, કેટલાક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પણ નોંધાયા હતા.