Friday, June 26, 2026
HomeGujaratBhavnagarરેલવે તંત્ર દ્વારા પવિત્ર જૈનતીર્થ પાલિતાણાથી બાંદ્રા અને બાંદ્રાથી પાલિતાણા વચ્ચે સ્પેશિયલ...

રેલવે તંત્ર દ્વારા પવિત્ર જૈનતીર્થ પાલિતાણાથી બાંદ્રા અને બાંદ્રાથી પાલિતાણા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ભાવનગર : રેલવે તંત્ર દ્વારા પવિત્ર જૈનતીર્થ પાલિતાણાથી બાંદ્રા અને બાંદ્રાથી પાલિતાણા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંવત્સરીના મહાપર્વને અનુલક્ષી યાત્રિધોના ધસારાને ધ્યાનમાં લઈ વિશેષ ટ્રેન ચલાવવાનો રેલવેએ નિર્ણય કર્યો છે.આત્મઉપાસના અને આત્મશુદ્ધિના મહાપર્વ પર્યુષણ પર્વ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી જૈન સમાજના લોકો શેત્રુંજય તીર્થરાજની યાત્રાએ આવતા હોય છે. જેના કારણે યાત્રિયોની સુવિધા માટે અને સંવત્સરી જૈન મહાપર્વને લઈ ટ્રેનોમાં યાત્રિકોનો ધસારો રહેતો હોય, આ વધારાની ભીડ ઘટાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે એસી થ્રી ટાયર અને સ્લીપર ક્લાસ કોચ સાથેની ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય કરાયો છે.આ વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી આગામી તા.૬-૯ને શુક્રવારે બપોરે ૨-૩૦ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવારે ૬ કલાકે પાલિતાણા પહોંચશે. તેવી જ રીતે તા.૮-૯ને રવિવારે રાત્રે ૯ કલાકે પાલિતાણાથી ટ્રેન ઉપડી બીજા દિવસે સોમવારે સવારે ૧૧ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં સિહોર (જં), સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર હોલ્ટ કરશે. ટ્રેન નંબર ૦૯૧૨૧/૦૯૧૨૨નું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરટીસીની વેબસાઈટ પરથી શરૂ કકરી દેવામાં આવ્યો હોવાનું ભાવનગર ડીઆરએમ રવિશકુમારે જણાવ્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here