Friday, June 26, 2026
HomeGujaratવડોદરામાં આજવા અને પ્રતાપપુરાના ગેટ બે દિવસ વરસાદની આગાહી હોવાથી બંધ કરવામાં...

વડોદરામાં આજવા અને પ્રતાપપુરાના ગેટ બે દિવસ વરસાદની આગાહી હોવાથી બંધ કરવામાં આવ્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વડોદરા : વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનોને સૂચિત કરવામાં આવ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારીખ 31/08/2024 ના રોજ આજવા તથા પ્રતાપપુરા ડેમના દરવાજા ખોલવામાં આવેલ હતા. જેને લીધે આજવા ડેમનુ લેવલ 1.5 ફુટ જેટલુ તથા પ્રતાપપુરા ડેમનુ લેવલ 5 ફુટ જેટલુ નીચું આવેલ છે. હવે તારીખ 2 તથા 3ના રોજ હળવાથી-મધ્યમ વરસાદની આગાહી હોવાથી આજવા તથા પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરવામાં આવેલ છે. હાલમાં વિશ્વામીત્રીનું લેવલ 15.5 ફુટ છે. નાગરીકોએ ગભરાવવાની જરૂર નથી તથા અફવાઓ પર ધ્યાન આપવું નહી તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.આજે સવારે 11 વાગ્યે આજવા સરોવરનું લેવલ 211.95 ફૂટ હતું, જ્યારે પ્રતાપપુરા સરોવરનું લેવલ 225.40 ફૂટ નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજવા સરોવરના ગેટ સતત ખુલ્લા હોવાથી પાણીની આવક ચાલુ રહેતા વડોદરામાં ભયાનક પુર આવ્યું હતું. આજવાનું પાણી બંધ કરવા અગાઉ નિર્ણય લેવાયો ત્યારે આજવા સરોવરનું લેવલ 213.65 ફૂટનું હતું. ત્યારબાદ વરસાદ થંભી જતા અને વિશ્વામિત્રી નદીનું લેવલ પણ ઘટી જ હતા અગાઉ નક્કી કર્યા મુજબ આજવા સરોવરમાં 212 ફૂટનું લેવલ જાળવી રાખવા શનિવારની રાતથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને 24 કલાકમાં લેવલ આશરે દોઢ ફૂટ જેટલું ઘટી ગયું હતું. જોકે આજવામાંથી પાણીની આવક થતા વિશ્વામિત્રીની સપાટી 10 ફૂટથી વધીને 14.86 સુધી પહોંચી ગઈ હતી અને એ પછી પણ તેમાં વધારો થયો છે. પરંતુ હાલ ચિંતાનું કોઈ કારણ નથી તેમ કોર્પોરેશનનું કહેવું છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here