Friday, June 5, 2026
HomeGujaratવડોદરામાં 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : જળબંબાકાર જેવી...

વડોદરામાં 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : જળબંબાકાર જેવી સ્થિતિ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વડોદરા : વડોદરા શહેરમાં આજે સાંજે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાંજે પાંચથી છ વાગ્યા સુધી એક ઇંચ અને છથી આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ સતત પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. સાંજના સમયે લોકો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતાં. તા.૨4 જુલાઇના રોજ પડેલા ભારે વરસાદની યાદ શહેરીજનોને આવી ગઇ હતી. ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેર પાણી..પાણી.. થઇ ગયું હતું.ગુરૂવારે સવારે અને બપોરે વાતાવરણ સ્વચ્છ હતું પરંતુ સાંજ પડતા જ વાતાવરણ બદલાયું હતું અને થંડરસ્ટ્રોમની અસર વડોદરામાં જણાઇ હતી. સાંજે સાડા ચાર વાગ્યા બાદ અચાનક વાદળો ઘેરાયા હતા અને ઠંડા પવનોની સાથે શરૃઆતમાં ધીમી ધારે અને બાદમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ત્રણ કલાક સુધી ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં. રેલવે સ્ટેશનનું ગરનાળુ પણ બંધ થઇ જતા પૂર્વ અને પશ્વિમ વિસ્તારના સંપર્ક વ્યવહારને અસર પડી હતી. ઓવરબ્રીજ પર પણ ટ્રાફિકજામ થઇ જતાં હજારો વાહન ચાલકો અટવાયા હતાં. સાંજે પીકઅવર્સમાં જ ભારે વરસાદના કારણે લોકો રસ્તામાં જ અટવાઇ ગયા હતાં. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સાંજે ચારથી છ વાગ્યા સુધી એક ઇંચ તેમજ છથી રાત્રે આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એક જ દિવસે ચાર ઇંચ વરસાદના કારણે કારેલીબાગમાં મુક્તાનંદ સર્કલ પાસે હંમેશની માફક પાણી ભરાઇ ગયા હતાં આ ઉપરાંત રાવપુરારોડ, લહેરીપુરા ગેટ, દાંડિયાબજાર, ગોત્રીરોડ સહિતના રોડ પર પાણી ભરાતા ટ્રાફિકને પણ અસર થઇ હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સવારે 89 અને સાંજે 94 ટકા હતું. આ ઉપરાંત મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસે પશ્વિમ દિશાના પવનની ગતિ 11 કિ.મી. પ્રતિ કલાક જ્યારે સાંજે છ વાગે 20 કિલોમીટર પ્રતિ કલાક નોધાઇ હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here