Sunday, June 28, 2026
HomeAhmedabadવિઝાગ ટર્મિનલે કાર્ગોમાં ૪૫ ટકાની વૃદ્ધિ નોંધાવી

વિઝાગ ટર્મિનલે કાર્ગોમાં ૪૫ ટકાની વૃદ્ધિ નોંધાવી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ, તા.૧
વિશાખાપટનમ પોર્ટનાં બહાર કિનાર પર સ્થિત ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ આયર્ન ઓર હેન્ડલિંગ કોમ્પ્લેક્સ અને ૨૪ એમટી (મિલિયન ટન)ની ક્ષમતા ધરાવતાં વિઝાગ ટર્મિનલનું સંચાલન કરતી એસ્સાર વિઝાગ ટર્મિનલ લિમિટેડ (ઇવીટીએલ)એ તા.૩૦ જૂન, ૨૦૧૯નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં સંપૂર્ણ કાર્ગો થ્રૂપુટમાં ૪૫ ટકા વધારો થયો હોવાની જાહેરાત કરી હતી. સંપૂર્ણ કાર્ગો સંચાલનમાં મહ¥વપૂર્ણ વૃદ્ધિ માટે થર્ડ-પાર્ટી કાર્ગોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વોલ્યુમમાં ત્રણ ગણો વધારો થયો હતો. આ જ ગાળામાં એન્કર કસ્ટમર પાસેથી કાર્ગો વોલ્યુમમાં ૫.૬ ટકાનો વધારો થયો હતો. સંપૂર્ણ કાર્ગો વોલ્યુમમાં થર્ડ-પાર્ટી કાર્ગોનો હિસ્સો વધીને ૪૦.૬ ટકા થયો હતો. એસ્સાર પોટ્‌ર્સનાં વિઝાગ ટર્મિનલ પર અત્યાધુનિક મિકેનાઇઝેશન દ્વારા સ્પર્ધાત્મક લાભ થયો છે અને અત્યાધુનિક કાર્ગો સંચાલન ઉપકરણે ઝડપી ટર્નએરાઉન્ડ ટાઇમ સુનિશ્ચિત કર્યો છે, જે નવા ક્લાયન્ટ મેળવવામાં મુખ્ય પરિબળો છે. એસ્સાર પોટ્‌ર્સ ભારતમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ અને ટર્મિનલ ડેવલપર્સ અને ઓપરેટર્સમાંની એક છે. કંપનીએ ભારતનાં ત્રણ રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનાં પાંચ પોર્ટ વિકસાવવામાં રૂ. ૧૧,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. એની હાલની કામગીરી ચાર ટર્મિનલમાં ફેલાયેલી છે, જેની સંયુક્ત ક્ષમતા ૧૧૦ એમટીપીએ છે, જે ભારતની પોર્ટ ક્ષમતામાં અંદાજે પાંચ ટકા હિસ્સો ધરાવે છે. કંપની નોન- કન્ટેનરાઇઝ બલ્ક કાર્ગો સ્પેસમાં લીડર છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૦ એમટી થ્રૂપુટ સાથે એસ્સાર પોટ્‌ર્સ ચાલુ નાણાકીય વર્ષમાં ૬૦ એમટીનું સંચાલન કરશે એવી અપેક્ષા છે. એસ્સાર પોટ્‌ર્સનાં તમામ ટર્મિનલ અત્યાધુનિક કાર્ગો સંચાલન માળખાનો ઉપયોગ કરે છે અને નજીકથી મધ્યમ ગાળામાં બમણી ક્ષમતા સાથે સજ્જ છે. એટલે કંપનીએ કાર્ગો થ્રુપૂટ વધારવા ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારત સરકારનાં વર્ષ ૨૦૨૦ સુધીમાં દેશમાં પોર્ટ ક્ષમતા વધારીને ૩,૧૩૦ એમટી કરવાનાં મહ¥વાકાંક્ષી લક્ષ્યાંકને પાર પાડવામાં અર્થસભર પ્રદાન કર્યું છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here