Monday, September 14, 2026
HomeGujaratવિધાનસભામાં દિપડા ઘૂસી જાય છે તો લોકસભામાં વાંદરાનો ત્રાસ:સચિવાલયે જાહેર કરી માર્ગદર્શિકા

વિધાનસભામાં દિપડા ઘૂસી જાય છે તો લોકસભામાં વાંદરાનો ત્રાસ:સચિવાલયે જાહેર કરી માર્ગદર્શિકા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગાંધીનગર ખાતે સચિવાલયમાં દીપડો આંટા મારી ગયો એ વાત હજુ તાજી છે ત્યાં લોકસભા સદન ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસ સહિતના વીવીઆઈપી સરકારી બંગલાઓમાં વાંદરાઓ આતંક મચાવી રહ્યા છે. વાંદરાઓના ઉત્પાતથી બચવા માટે હાલમાં જ લોકસભા સચિવાલય દ્વારા સભ્યો અને કર્મચારીઓ માટે ખાસ સત્તાવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવી પડી છે.

લોકસભા સચિવાલય દ્વારા સંસદના આગામી શિયાળુ સત્ર માટે મંત્રીઓ, સાંસદો, સરકારી અધિકારીઓ અને મુલાકાતીઓ માટે વાંદરાથી બચવા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં વાંદરાથી બચવા માટેની વિવિધ તરકીબો ઉપરાંત વાંદરા ઉશ્કેરાઈને હુમલો ન કરી બેસે એ માટે ચેતવણીઓ પણ આપવામાં આવી છે.

વાંદરાઓના હુમલાથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

1. વાંદરાઓ સાથે આંખ ન મિલાવવી
2. વાંદરાઓ બચ્ચાં સાથે હોય ત્યારે નજીકથી પસાર ન થવું
3. વાંદરા તમારી ગાડી સાથે અથડાઈ જાય તો ગાડી ઊભી રાખવાની ભૂલ ન કરશો. વાંદરાનું ટોળું તમારા પર હુમલો કરી શકે છે.
4. તમને જોઈને વાંદરા ડરામણા અવાજ કરે તો તેની સામે લાકડી ઉગામવાને બદલે ચૂપચાપ પસાર થઈ જવું.
5. સંસદ પરિસરમાં વાંદરાનો ટોળા દેખાય તો તરત હેલ્પલાઈનને જાણ કરવી.

વાંદરા માટે સંસદમાં સવાલો ય પૂછાયા છે

પરિસરમાં વાંદરાનો ત્રાસ એટલો બધો છે કે જુલાઈ, 2014માં રાજ્યસભામાં વાંદરાઓના ઉત્પાત રોકવા સરકાર શું કરી રહી છે એવો સવાલ પણ પૂછાયો હતો, જેનાં જવાબમાં તત્કાલીન શહેર વિકાસ મંત્રી (અને હાલના ઉપરાષ્ટ્રપતિ) વેંકૈયા નાયડુએ ત્રણ પાના ભરીને જવાબ પણ વાળ્યો હતો. હાલમાં પણ એ મુજબની કાર્યવાહી થઈ રહી છે.

કોર્પોરેશનના 40 કર્મચારીઓ કરે છે વાંદરા ભગાડવાનું કામ

1. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તાલીમ પામેલા 40 કર્મચારીઓ હાલ વાંદરા ભગાડવાની કામગીરી માટે જ સંસદ પરિસરમાં નિયુક્ત થયેલા છે. એ લોકો વાંદરા જેવો જ અવાજ કરીને વાંદરાના ટોળાને પરિસરથી વિરુદ્ધ દિશાએ હાંકી કાઢે છે.
2. તોફાને ચડેલા વાંદરાઓ માટે રબર બુલેટની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
3. અગાઉ મોટા કદના લંગુરને તાલીમ આપીને તેનાં દ્વારા અન્ય વાંદરાઓને ભગાડવામાં આવતાં હતાં. પરંતુ પર્યાવરણ અને વન મંત્રાલય તેમજ મંત્રી મેનકા ગાંધી દ્વારા તેનો વિરોધ થવાથી એ પડતું મૂકવામાં આવ્યું છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here