Friday, June 5, 2026
HomeGujaratવિધાનસભામાં દિપડા ઘૂસી જાય છે તો લોકસભામાં વાંદરાનો ત્રાસ:સચિવાલયે જાહેર કરી માર્ગદર્શિકા

વિધાનસભામાં દિપડા ઘૂસી જાય છે તો લોકસભામાં વાંદરાનો ત્રાસ:સચિવાલયે જાહેર કરી માર્ગદર્શિકા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગાંધીનગર ખાતે સચિવાલયમાં દીપડો આંટા મારી ગયો એ વાત હજુ તાજી છે ત્યાં લોકસભા સદન ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસ સહિતના વીવીઆઈપી સરકારી બંગલાઓમાં વાંદરાઓ આતંક મચાવી રહ્યા છે. વાંદરાઓના ઉત્પાતથી બચવા માટે હાલમાં જ લોકસભા સચિવાલય દ્વારા સભ્યો અને કર્મચારીઓ માટે ખાસ સત્તાવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવી પડી છે.

લોકસભા સચિવાલય દ્વારા સંસદના આગામી શિયાળુ સત્ર માટે મંત્રીઓ, સાંસદો, સરકારી અધિકારીઓ અને મુલાકાતીઓ માટે વાંદરાથી બચવા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં વાંદરાથી બચવા માટેની વિવિધ તરકીબો ઉપરાંત વાંદરા ઉશ્કેરાઈને હુમલો ન કરી બેસે એ માટે ચેતવણીઓ પણ આપવામાં આવી છે.

વાંદરાઓના હુમલાથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

1. વાંદરાઓ સાથે આંખ ન મિલાવવી
2. વાંદરાઓ બચ્ચાં સાથે હોય ત્યારે નજીકથી પસાર ન થવું
3. વાંદરા તમારી ગાડી સાથે અથડાઈ જાય તો ગાડી ઊભી રાખવાની ભૂલ ન કરશો. વાંદરાનું ટોળું તમારા પર હુમલો કરી શકે છે.
4. તમને જોઈને વાંદરા ડરામણા અવાજ કરે તો તેની સામે લાકડી ઉગામવાને બદલે ચૂપચાપ પસાર થઈ જવું.
5. સંસદ પરિસરમાં વાંદરાનો ટોળા દેખાય તો તરત હેલ્પલાઈનને જાણ કરવી.

વાંદરા માટે સંસદમાં સવાલો ય પૂછાયા છે

પરિસરમાં વાંદરાનો ત્રાસ એટલો બધો છે કે જુલાઈ, 2014માં રાજ્યસભામાં વાંદરાઓના ઉત્પાત રોકવા સરકાર શું કરી રહી છે એવો સવાલ પણ પૂછાયો હતો, જેનાં જવાબમાં તત્કાલીન શહેર વિકાસ મંત્રી (અને હાલના ઉપરાષ્ટ્રપતિ) વેંકૈયા નાયડુએ ત્રણ પાના ભરીને જવાબ પણ વાળ્યો હતો. હાલમાં પણ એ મુજબની કાર્યવાહી થઈ રહી છે.

કોર્પોરેશનના 40 કર્મચારીઓ કરે છે વાંદરા ભગાડવાનું કામ

1. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તાલીમ પામેલા 40 કર્મચારીઓ હાલ વાંદરા ભગાડવાની કામગીરી માટે જ સંસદ પરિસરમાં નિયુક્ત થયેલા છે. એ લોકો વાંદરા જેવો જ અવાજ કરીને વાંદરાના ટોળાને પરિસરથી વિરુદ્ધ દિશાએ હાંકી કાઢે છે.
2. તોફાને ચડેલા વાંદરાઓ માટે રબર બુલેટની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
3. અગાઉ મોટા કદના લંગુરને તાલીમ આપીને તેનાં દ્વારા અન્ય વાંદરાઓને ભગાડવામાં આવતાં હતાં. પરંતુ પર્યાવરણ અને વન મંત્રાલય તેમજ મંત્રી મેનકા ગાંધી દ્વારા તેનો વિરોધ થવાથી એ પડતું મૂકવામાં આવ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here