Friday, June 26, 2026
HomeGujaratAhmedabadસાબરમતી રેલવે સ્ટેશનથી ૨૩ કિલો ચરસ જપ્ત કરાયો

સાબરમતી રેલવે સ્ટેશનથી ૨૩ કિલો ચરસ જપ્ત કરાયો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ચરસના જથ્થા સાથે બેની ધરપકડ ઃ ચરસનું કન્સાઇનમેન્ટ જપ્ત કરાયુ ઃ ચરસનો જથ્થો જમ્મુ-કાશ્મીરમાંથી લવાયો
અમદાવાદ, તા.૨૭
અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ ફરી એકવાર એક મહત્વના ઓપરેશનમાં, શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી ૨૩ કિલોના ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. એનસીબી દ્વારા જપ્ત કરાયેલા ચરસના જથ્થાની બજાર કિંમત રૂ.૨૮ લાખ થવા જાય છે. સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતેથી ચરસનો જથ્થો આટલો મોટો ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એનસીબીને ચોક્કસ બાતમી મળી હતી તે માહિતીના આધારે, શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પરથી અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓએ ૨૩ કિલો ચરસના ૧૨ પેકેટ્‌સ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરોના અધિકારીઓએ સાબરમતી રેલવે સ્ટેશન પર બે મુસાફરોને આંતરી તેમનો સામાન ચેક કર્યો હતા અને જડતી લીધી હતી. તે દરમ્યાન આરોપી મોહમંદ રિઝવાન કૈયમુદ્દીન અને જીશાન છોટે પાસેથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ચરસની હેરાફેરી કરી રહેલા આ બન્ને આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં આ ચરસ જમ્મુ અને કાશ્મીરથી લવાયો હોવાની વાત સામે આવી હતી. આ ચરસ પ્રતિ કિલો રૂ.૧.૨૦ લાખના ભાવે વેચવાનું હતું. આમ આ ચરસની કિંમત લગભગ રૂ.૨૮ લાખ જેટલી થાય છે. એનસીબીના અધિકારીઓએ હવે ચરસનું આ કન્સાઇનમેન્ટ કોના કહેવાથી મંગાવાયુ હતું અને કોને ડિલીવરી કરવાનું હતુ અને આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે તે સહિતની બાબતોની દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here