Friday, June 5, 2026
HomeGujaratAhmedabadસિવિલની OPDના બેઝમેન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં, મચ્છરનો ઉપદ્રવ; રોજ 3 હજારથી...

સિવિલની OPDના બેઝમેન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં, મચ્છરનો ઉપદ્રવ; રોજ 3 હજારથી વધુ દર્દીઓ સારવાર લે છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ચોમાસાને કારણે રોગચાળો વકર્યો છે, તેમાં પણ મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ વધારો થયો છે. લોકો બીમારીની સારવાર મેળવવા માટે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી અસારવા સિવિલ હોસ્ટિલ સારવાર માટે જાય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાંથી સારવાર મેળવવા જવું કે રોગચાળો લેવા જવું તે સવાલ મોટો છે. કારણ કે, OPDમાં જ્યાં રોજ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યથી હજારો દર્દીઓ સારવાર મેળવે છે, ત્યાં જ બેઝમેન્ટમાં પાણી ભરાયાં છે અને મચ્છર થઈ રહ્યા છે, જેનો કોઈ નિકાલ સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યો નથી. ત્યારે અહીં આવનાર દર્દી ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની શકે છે. અવારનવાર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આસપાસ ભરાયેલા પાણીનો નિકાલ કરીને મચ્છરનો ઉપદ્રવ રોકવા સલાહ આપે છે ત્યારે અહીં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે અને હોસ્પિટલ જ બીમારીનું ઘર બની શકે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યૂના 247 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મલેરિયાના પણ 121 કેસ નોંધાયા છે. લોકો સિવિલમાં બીમારી થતાં સારવાર મેળવવા માટે જાય છે, પરંતુ જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તે સિવિલ હોસ્પિટલની OPDમાં આવેલા X-RAY વિભાગની બાજુમાં જ બેઝમેન્ટમાં વરસાદી અને ગંદા પાણી કેટલાય સમયથી ભરાયેલા છે. આ પાણીથી સિવિલ હોસ્પિટલ અજાણ છે કે, આંખ આડા કાન કરી રહી છે તે સવાલ છે. કારણ કે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here