Friday, June 26, 2026
HomeGujaratસુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું

સુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

સુરત : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની એક રહેણાંક સોસાયટીના આંતરિક રોડ પર કેટલાક લોકોએ મંદિર બનાવી દેવાતા ઝોનમાં ફરિયાદ થઈ છે. ઝોન દ્વારા એક વખત ડિમોલીશન કર્યા બાદ ફરીથી મંદિર બનાવી પ્રતિમા મૂકી કબજો કરવાનો પ્રયાસ થતા ફરી ફરિયાદ થઈ છે. આ મંદિર બનાવવા પાછળ કેટલાક રાજકારણીઓની સોસાયટી ના ખાલી પ્લોટ પર નજર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલી સાઈબાબા નગર સોસાયટી 63- 2 હેઠળના નિયમ પ્રમાણે બની હોવાથી આ સોસાયટીમાં રોડ-ડ્રેનેજ અને પાણી સહિતની સુવિધા પાલિકાએ વિના મૂલ્યે પૂરી પાડી છે. હવે આ સોસાયટીમાં 10 જેટલા પ્લોટ છે તે લાડશાખીય વાડી સમાજના છે તેની બાજુમાં થી પસાર થતા રસ્તા પર થોડા સમય પહેલા મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટી અને સમાજના લોકોએ ઝોનમાં અરજી કરતાં 16 ઓગસ્ટના રોજ ડિમોલીશન કર્યું હતું. ત્યાર બાદ એક રાજકારણી દ્વારા આ મંદિર માટે ખાત મુર્હુત કરી ફરી બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવવા માટે કેટલાક ધાર્મિક સંગઠનો ને અંધારામાં રાખી તેમની મદદ લેવામા આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઉપરાંત એવા ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે, કેટલાક રાજકારણીઓની નજર આ પ્લોટ પર છે અને તેના કારણે આ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે પાલિકા એ બનાવેલા રોડ પર જ રાજકારણીના ઈશારે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે તે પાલિકા દુર કરશે કે રાજકીય દબાણ માં કોઈ કામગીરી કરશે નહીં તે તો સમય જ બતાવશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here