Wednesday, July 15, 2026
HomeGujaratSuratસુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો  પોતાના ઘરે પરત ફર્યા 

સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો  પોતાના ઘરે પરત ફર્યા 

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર આવ્યા છે. બાજુમાં ચાલી રહેલા બાંધકામને ડી વોલ તૂટી પડવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા 192 પરિવારો માત્ર ચાર જ દિવસમાં પોતાના ઘરે પરત ફર્યા છે. તંત્ર દ્વારા રાત-દિવસ મહેનત કરીને કામગીરી પૂર્ણ કરતાં રહીશોએ હાશકારો અનુભવ્યો છે.શરૂઆતમાં આ સમારકામ અને ભયજનક સ્થિતિને સુધારવા માટે 15 દિવસનો સમય લાગવાનો અંદાજ લગાવાયો હતો. પરંતુ શિવ રેસીડેન્સીના રહીશોની હાલત જોઈને તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી હતી.તંત્રની આ ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે જે કામમાં પખવાડિયું નીકળી જાય તેમ હતું, તે કામ માત્ર 4 દિવસમાં પૂર્ણ થયું છે. સુરક્ષાની ખાતરી થયા બાદ તમામ 192 પરિવારોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેથી સોસાયટીમાં ફરીથી ખુશીનો માહોલ છવાયો છે.સુરતના ભીમરાડના  ટીપી સ્કીમ નંબર 42 (ભીમરાડ) એફપી નં.60માં નિર્માણાધીન ત્રણ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ વત્તા 13 માળના રેસીડેન્સ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ ‘વિવાન’માં ત્રણ બેઝમેન્ટ કામગીરી દરમિયાન  અચાનક માટી ધસી પડી અને ડી વોલ ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટના બની તેની 25 ફૂટ નજીક શિવ રેસીડન્સી આવી છે તેની પાર્કિંગની દિવાલ અને શેડ તૂટી પડ્યા હતા.  શિવ રેસીડન્સીના ફ્લેટ ધારકો છતાં ઘરે બે ઘર થતા ભારે હોબાળો થયો હતો. મંગળવારે રાત્રે અને આજે બપોરે શિવ રેસીડન્સીના ફ્લેટ ધારકોએ રસ્તા રોકવા સાથે ન્યાયની માંગણી કરી હતી. સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકારને જાણ  થતા રાજ્ય સરકારે પાલિકા તંત્ર પાસે ઘટના નો અહેવાલ મંગાવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here