Wednesday, July 15, 2026
HomeGujarat70 વર્ષ જૂની પાણીની લાઈનમાં ભંગાણ પડતા વડોદરા શહેરમાં પડતા પૂર જેવી...

70 વર્ષ જૂની પાણીની લાઈનમાં ભંગાણ પડતા વડોદરા શહેરમાં પડતા પૂર જેવી પરિસ્થિતિ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં રાજારાણી તળાવ પાસેથી પસાર થતી આજવાથી પાણીગેટ ટાંકી થઇ ચાર દરવાજા વિસ્તારમાં આવતી 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો. એટલું જ નહી પૂરની પરિસ્થિતિ હોય તે રીતે આજુબાજુની સોસાયટી અને વસાહતોમાં પાણી ફરી વળ્યા હતા. કોર્પોરેશનના તંત્રને જાણ થતા સ્થળ પર પહોંચી જઈ સમારકામની કામગીરી શરૂ કરી હતી જે આજે સવારે 9 વાગે પૂરી થઈ હતી.વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પુરૂ પાડતા આજવા સરોવરમાંથી ગાયકવાડી સમયની 70 વર્ષ જૂની પાણીની લાઈન પાણીગેટ ટાંકી થઈ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પસાર થાય છે. પાણીની લાઈન ગઈકાલે મોડી સાંજે રાજારાણી તળાવ પાસે તૂટતા ભંગાણ પડયું હતું. પાણીનો જથ્થો આજુબાજુની આવેલી ગૌરવ સોસાયટી, અનુરાધા સોસાયટી, ગીરીરાજ સોસાયટી સહિત વસાહતોમાં ફરી વળતા પાણી ઘુંટણ સમા પાણી ભરાયા હતા. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લાઈનમાં ભંગાણ પડતા સમગ્ર વિસ્તારનુ પાણી છેક અજબડી મિલ સુધી પહોંચી ગયુ હતું. આજુબાજુના વિસ્તારોના મકાનોમાં પણ પાણી ભરાયા હતા. જ્યારે સોસાયટીના મુખ્ય રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાઈ જવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દર વખતે શહેરમાં અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ પડે છે ત્યારે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે પરંતુ ગઈકાલે જે રીતે પાણીની લાઈનમાં ભંગાણ પડયું જેથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here