Tuesday, March 10, 2026
HomeGujaratAhmedabadઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

ઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

અમદાવાદ : અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો ઘીકાંટા વિસ્તાર આજે તેની અસલ
ઓળખ ગુમાવી બેઠો છે.પહેલાં આ વિસ્તારમાં આવેલી પોળોમાં કોમર્શિયલ બાંધકામો થયા અને
હવે મેટ્રો માટે ચાલી રહેલી કામગીરી આ માટે કારણભૂત હોવાનું સ્થાનિક રહીશોનું
માનવું છે.આ વિસ્તાર એની ઓળખ ગુમાવી બેઠો એ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા જ
જવાબદાર હોવાનું સ્થાનિક રહીશો માની રહ્યા છે.

આ વિસ્તારમાં એક સમયે હેરિટેજ વેલ્યુ ધરાવતું જુની સિવિલ હોસ્પિટલ અને પાછળથી ઘીકાંટા કોર્ટ તરીકે જાણીતી બનેલી ઈમારત મેટ્રોના અંડરપાસ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં મશીનના સતત અવાજથી વાઈબ્રેશન આવતા હોઈ નજીકમાં આવેલા મયુરી ફલેટના રહીશો તો શાંતિથી સૂઈ પણ શકતા નથી.

શહેરના ઘીકાંટા વિસ્તાર એક સમયે આગવી ઓળખ ધરાવતો હતો.વિસ્તારમાં આવેલી અનેક પોળ કે જેમાં નવતાડની પોળ,નાની હમામ,મોટી હમામથી લઈઅનેક પોળોમાં ખુબ મોટી સંખ્યામાં શહેરીજનો રહેતા હતા.આ એ વિસ્તાર છે કે,જયાં ગુજરાતી સાહીત્યના મોટા ગજાના લેખકો અને સાહીત્યકારો પણ અહીં આવેલી પોળમાં વસવાટ કરતા હતા.ઘીકાંટા ચારરસ્તાથી શરૃ થતા રોડ પર એક સમયે અનેક થિયેટરો પણ ચાલતા હતા.કાળક્રમે અમદાવાદ શહેરમાં અવારનવાર થતાં તોફાનોને ધ્યાનમાં લઈ એક પછી એક થિયેટર બંધ થયા અને એના સ્થાને કોમર્શિયલ બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા.છેલ્લા બે દાયકાથી વધુના સમયમાં આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોએ જો ધ્યાન આપ્યુ હોત તો આજે ઘીકાંટા વિસ્તાર જે તેની મૂળ ઓળખ ગુમાવી બેઠો છે આ સ્થિતિ સર્જાઈ ના હોત.એમ સ્થાનિક રહીશનું કહેવું છે.વિસ્તારને હજુ તો કોમર્શિયલ બાંધકામોની કળ વળી ના હતી. આટલું ઓછું હોય એમ જુની નોવેલ્ટી સિનેમાથી રામદેવપીર મંદિર તરફ જતો આખો રસ્તો જ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here