Saturday, March 7, 2026
Homenationalઅમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, કાશ્મીર પહોંચ્યા NSG કમાન્ડો

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, કાશ્મીર પહોંચ્યા NSG કમાન્ડો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

કેન્દ્ર સરકાર રમઝાન બાદ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશનને સ્થગિત કરવાને લઈને હાલ ‘વેટ એંડ વોચ પૉલિસી’ પર કામ કરી રહી છે. આ દરમિયાન એક સૈનિક અને એક પત્રકારની હત્યાએ આતંકવાદીઓના વધતા જતા સાહસ તરફ ધ્યાન દોર્યું છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી છે કે, પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન અમરનાથ યાત્રા દરમિયાન મોટો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે જે 21 દિવસ સુધી ચાલશે.

રમઝાન દરમિયાન આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન સ્થગિત કરવાની સમીક્ષા માટે ગુરૂવારે જ ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મેહબૂબા સરકારે આ વખતે કેન્દ્ર સરકાર પાસે વધારે 22 હજાર જવાનોની માંગણી કરી છે.

આ બેઠકના બીજા જ દિવસે સુરક્ષા એજન્સીઓને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ્સ મળ્યાં છે. જેમાં અમરનાથ યાત્રા આ વખતે પણ ત્રાસવાદીઓના નિશાને હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો અમરનાથ યાત્રામાં વિક્ષેપ ઉભો કરવા માંગે છે. તેઓ અમરનાથ યાત્રીઓ પર હુમલા કરવા મોટા ષડયંત્રને અંજામ આપવાના બદઈરાદાઓ ધરાવે છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તચર એજન્સીઓએ જાણકારી આપી છે કે, સુરક્ષા બળો પર મોટો હુમલો કરવા માટે આતંકવાદીઓ ષડયંત્ર રચી રહ્યાં છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવવા માટે આતંકીઓ શ્રદ્ધાળુઓ કે પછી સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવા માટે IED નો પયોગ કરી શકે છે.

ગત વર્ષે પણ અમરનાથ યાત્રીઓ પર ત્રાસવાદી હુમલો થયો હતો. જેમાં ગુજરાતથી આવેલા અમરનાથ યાત્રીઓની બસને નિશાન બનાવીને ભિષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img