Sunday, May 4, 2025
HomeEntertainmentBollywoodલતા મંગેશકરની હાલત નાજુક, ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં

લતા મંગેશકરની હાલત નાજુક, ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શૉકિંગ અપડેટમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું છે કે, ‘લતાજીની તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેઓને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યાં છે. હજુ પણ તેઓ ICUમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.’ કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.

ડૉક્ટરની ટીમ દેખરેખ કરી રહી છે
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીત સમધાનીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘લતાજીની તબિયત ખરાબ થતા અમે વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા છે. ડૉક્ટરની એક ટીમ 24×7 તેમનું ધ્યાન રાખી રહી છે.’

સારવાર દરમિયાન મૃત્યુની અફવા આવી હતી
થોડા દિવસ પહેલાં લતા મંગેશકરના મૃત્યુની અફવા ફેલાઈ હતી. એ પછી તેમના અકાઉન્ટ પરથી પરિવારે કહ્યું હતું, ‘મહેરબાની કરીને અફવા પર ધ્યાન ના આપો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના પ્રતીત સમદાનીએ અપડેટ આપી છે. દીદીની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને સારવાર ICUમાં ચાલુ છે. અમે તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ.’પાંચ દિવસ પહેલાં મીડિયા સાથે વાતચીત દરમિયાન મહારષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, ‘મેં લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટર સાથે વાત કરી. તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કોરોના અને ન્યૂમોનિયાને માત આપી છે. પહેલાં તેઓ વેન્ટિલેટર પર હતા, પણ હવે નથી. હવે તેમને માત્ર ઓક્સિજન જ આપવામાં આવી રહ્યો છે. તેમણે આંખ ખોલી છે અને ડૉક્ટર સાથે પણ વાત કરી રહ્યા છે. કોરોનાને લીધે થોડી નબળાઈ આવી ગઈ છે પણ તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.’લતા મંગેશકર સ્ટુડિયોઝ એન્ડ મ્યુઝિકના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) મયૂરેશ પાઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર (8 જાન્યુઆરી) મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. અત્યારે તેઓ ICUમાં છે અને સારવાર ચાલે છે. દીદી, તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યાં હતાં, આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશન છે.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here