Sunday, March 8, 2026
HomeWorld40 લાખ કૂતરાઓનું નામો નિશાન જ મટી જશે! આ દેશમાં રાષ્ટ્રપતિના 'નરસંહાર...

40 લાખ કૂતરાઓનું નામો નિશાન જ મટી જશે! આ દેશમાં રાષ્ટ્રપતિના ‘નરસંહાર કાયદા’ સામે ઉગ્ર દેખાવ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

: તુર્કીમાં રસ્તા પર રખડતા કૂતરાઓની કુલ વસતી લગભગ 40 લાખ છે. રખડતા કૂતરાઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે નાગરિકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે અને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. તુર્કીની સરકારે તેનાથી નિપટવા માટે એક કાયદો બનાવી દીધો છે જેના કારણે દેશના રસ્તાઓ પર ઉગ્ર દેખાવો શરૂ થઈ ગયા છે.
રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવશે?તુર્કીના ધારાસભ્યોએ દેશના રસ્તાઓ પરથી લાખો કૂતરાઓને હટાવી દેવા માટે બનાવવામાં આવેલા કાયદાને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ હવે પશુ-પ્રેમીઓને ડર છે કે, તેના દ્વારા કૂતરાઓને મારી નાખવામાં આવશે અથવા તેને નિર્જન સ્થળ પર છોડી દેવામાં આવશે. તુર્કીમાં કૂતરા માટે નિયમ, ‘નરસંહાર
તુર્કીની ગ્રાન્ડ નેશનલ એસેમ્બલીના પ્રતિનિધિઓએ મંગળવારે એક લાંબા સત્રમાં ચર્ચા બાદ કૂતરા અંગેના કાયદાને મંજૂરી આપી દીધી હતી. સરકારે ઉનાળાની રજાઓ પહેલા જ તેને પાસ કરવા પર ભાર મૂક્યો હતો. તુર્કીમાં આ પ્રકારનો કાયદો બનતાની સાથે જ હજારો લોકો તેની વિરુદ્ધમાં આવી ગયા છે અને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે કાયદાની જે કલમ જણાવે છે કે રખડતા પ્રાણીઓને મારવાની છૂટ આપવામાં આવશે તેને નાબૂદ કરવામાં આવે.

વિપક્ષી સાંસદો, પશુ કલ્યાણ જૂથો અને અન્ય લોકોએ આ બિલને ‘નરસંહાર કાયદો’ ગણાવ્યો છે. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પોતાની સત્તારુઢ પાર્ટી અને સાથી પક્ષોના પ્રતિનિધિઓનો આભાર માન્યો, જેમણે લાંબી અને ઊંડા વિચાર-વિમર્શ બાદ કાયદો બનાવવામાં મદદ કરી. તેમણે કહ્યું કે, વિપક્ષની ઉશ્કેરણી અને જૂઠા તથા વિકૃતિઓ પર આધારિત અભિયાનો છતાં, નેશનલ એસેમ્બલીએ ફરી એકવાર લોકોની વાત સાંભળી, મૌન બહુમતીની બાબતોને અવગણવાનો ઈનકાર કરી દીધો. સરકારનો અંદાજ છે કે તુર્કીના રસ્તા અને ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 40 લાખ રખડતા કૂતરા ફરી રહ્યા છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં કૂતરાઓ એકસાથે રહે છે, ત્યારે લોકોનું જીવવું મુશ્કેલ બની જાય છે. કૂતરા ક્યારેક ઝૂંડમાં લોકો પર હુમલો પણ કરે છે. તુર્કીના મુખ્ય વિપક્ષે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને રદ્દ કરવાની માંગ કરીશું. રિપબ્લિકન પીપલ્સ પાર્ટી અથવા સીએચપીના વરિષ્ઠ ડેપ્યુટી મુરત અમીરે રવિવારે સંસદમાં કહ્યું હતું કે, તમે એક એવો કાયદો ઘડ્યો છે જે નૈતિક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે તૂટેલો છે. તમે તમારા હાથ લોહીથી ન ધોઈ શકો. તેમણે સવાલ કર્યો કે જો તેમને મારવાના નહોતા તો બિલમાં તંદુરસ્ત અને આક્રમક પ્રાણીઓને એકત્ર કરવા શા માટે કહેવામાં આવ્યું છે. અન્ય લોકોએ રખડતા કૂતરાઓની વસતીમાં વધારા માટે અગાઉના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળતાને દોષી ઠેરવ્યો છે. જેમાં રખડતા કૂતરાઓને પકડવા, નસબંધી કરવી અને તેને ત્યાં જ પાછા છોડવાના હતા જ્યાં તે મળી આવ્યા હતા.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here