Thursday, April 24, 2025
HomeGujaratવડોદરામાં 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : જળબંબાકાર જેવી...

વડોદરામાં 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : જળબંબાકાર જેવી સ્થિતિ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

વડોદરા : વડોદરા શહેરમાં આજે સાંજે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાંજે પાંચથી છ વાગ્યા સુધી એક ઇંચ અને છથી આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ સતત પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. સાંજના સમયે લોકો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતાં. તા.૨4 જુલાઇના રોજ પડેલા ભારે વરસાદની યાદ શહેરીજનોને આવી ગઇ હતી. ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેર પાણી..પાણી.. થઇ ગયું હતું.ગુરૂવારે સવારે અને બપોરે વાતાવરણ સ્વચ્છ હતું પરંતુ સાંજ પડતા જ વાતાવરણ બદલાયું હતું અને થંડરસ્ટ્રોમની અસર વડોદરામાં જણાઇ હતી. સાંજે સાડા ચાર વાગ્યા બાદ અચાનક વાદળો ઘેરાયા હતા અને ઠંડા પવનોની સાથે શરૃઆતમાં ધીમી ધારે અને બાદમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ત્રણ કલાક સુધી ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં. રેલવે સ્ટેશનનું ગરનાળુ પણ બંધ થઇ જતા પૂર્વ અને પશ્વિમ વિસ્તારના સંપર્ક વ્યવહારને અસર પડી હતી. ઓવરબ્રીજ પર પણ ટ્રાફિકજામ થઇ જતાં હજારો વાહન ચાલકો અટવાયા હતાં. સાંજે પીકઅવર્સમાં જ ભારે વરસાદના કારણે લોકો રસ્તામાં જ અટવાઇ ગયા હતાં. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સાંજે ચારથી છ વાગ્યા સુધી એક ઇંચ તેમજ છથી રાત્રે આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એક જ દિવસે ચાર ઇંચ વરસાદના કારણે કારેલીબાગમાં મુક્તાનંદ સર્કલ પાસે હંમેશની માફક પાણી ભરાઇ ગયા હતાં આ ઉપરાંત રાવપુરારોડ, લહેરીપુરા ગેટ, દાંડિયાબજાર, ગોત્રીરોડ સહિતના રોડ પર પાણી ભરાતા ટ્રાફિકને પણ અસર થઇ હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સવારે 89 અને સાંજે 94 ટકા હતું. આ ઉપરાંત મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસે પશ્વિમ દિશાના પવનની ગતિ 11 કિ.મી. પ્રતિ કલાક જ્યારે સાંજે છ વાગે 20 કિલોમીટર પ્રતિ કલાક નોધાઇ હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here