Saturday, October 5, 2024
HomeIndiaબિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડયો : રૂ. 1410...

બિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડયો : રૂ. 1410 કરોડ પાણીમાં ધોવાયા

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો ચાર લેનનો સુલતાનગંજ-અગુવાની પુલ ત્રીજી વખત શનિવારે તૂટી પડયો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સુલતાનગંજથી અનુવાની ઘાટ તરફ પીલર નંબર નવ અને ૧૦ વચ્ચેનો ભાગ શનિવારે ગંગા નદીમાં સમાઈ ગયો હતો. આ મહાસેતુનું નિર્માણ એસપી સિંગલા કંપની કરાવી રહી છે.ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં બની રહેલો આ પુલ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે. પુલનો એક ભાગ તૂટી પડવાના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોને સલામત અંતરેથી પુલને તૂટી પડતો જોઈ રહ્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળવામાં આવ્યા છે કે પુલ ફરી એક વખત તૂટી પડયો. નોંધનીય છે કે અગાઉ ૪ જૂન ૨૦૨૩ના રોજ સુલ્તાનગંજ- અગુવાની પુલના પાયા નંબર ૧૦, ૧૧, ૧૨ના ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર તૂટી પડયું હતું, જે લગભગ ૨૦૦ મીટર જેટલો ભાગ હતો. આ અકસ્માત પછી પુલ પર ફરજ બજાવતા બે ગાર્ડ પણ ગુમ થઈ ગયા હતા. આ સિવાય ૨૭ એપ્રિલ ૨૦૨૨ના રોજ પણ આ નિર્માણાધિન પુલનું એક સુપર સ્ટ્રક્ચર નદીમાં તૂટી પડયું હતું. તિવ્ર આંધી અને વરસાદમાં અંદાજે ૧૦૦ ફૂટ લાંબો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડયો હતો. જોકે, તે સમયે પણ જાન-માલનું કોઈ નુકસાન થયું નહોતું. ભાગલપુર-સુલ્તાનગંજ અગુવાની પુલ બિહાર સરકારનો ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતો મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું પ્રારંભિક મૂલ્યાંકન રૂ. ૧૭૧૦.૭૭ કરોડ હતું. સીએમ નીતિશ કુમારે ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે, આઈઆઈટી રૂરકીના નિષ્ણાોની એક સમિતિએ આ પુલના માળખાની ચકાસણી કરી હતી. તેમણે પુલના ફાઉન્ડેશન અને સુપરસ્ટ્રક્ચરની ડિઝાઈનમાં ખામી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સીએમ નીતિશ કુમારને તેની કંઈ પડી નથી.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here