Friday, September 20, 2024
HomeGujaratસુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું

સુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું

Date:

spot_img

Related stories

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...

વડોદરા નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ સ્કિલ...

વડોદરા : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને...

એન.કે. પ્રોટીન્સ એરંડાના 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો તથા...

અમદાવાદ : એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે (તિરૂપતિ એડિબલ ઓઇલ્સ)...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “પેશન્ટ સેફ્ટી વીક 2024″ની ઉજવણી...

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ એ ભારતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાંની...

યુરોકિડ્સે અમદાવાદમાં મહત્ત્વાકાંક્ષી ગ્રોથને ટાર્ગેટ કરતાં હાર્વર્ડ પ્રેરિત અભ્યાસક્રમ...

અમદાવાદ : દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના...

અમદાવાદ પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય ઉપર...

અમદાવાદ : પારૂલ યુનિવર્સિટીએ અમદાવાદમાં બોપલ ખાતે પારૂલ કોલેજ...
spot_img

સુરત : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની એક રહેણાંક સોસાયટીના આંતરિક રોડ પર કેટલાક લોકોએ મંદિર બનાવી દેવાતા ઝોનમાં ફરિયાદ થઈ છે. ઝોન દ્વારા એક વખત ડિમોલીશન કર્યા બાદ ફરીથી મંદિર બનાવી પ્રતિમા મૂકી કબજો કરવાનો પ્રયાસ થતા ફરી ફરિયાદ થઈ છે. આ મંદિર બનાવવા પાછળ કેટલાક રાજકારણીઓની સોસાયટી ના ખાલી પ્લોટ પર નજર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલી સાઈબાબા નગર સોસાયટી 63- 2 હેઠળના નિયમ પ્રમાણે બની હોવાથી આ સોસાયટીમાં રોડ-ડ્રેનેજ અને પાણી સહિતની સુવિધા પાલિકાએ વિના મૂલ્યે પૂરી પાડી છે. હવે આ સોસાયટીમાં 10 જેટલા પ્લોટ છે તે લાડશાખીય વાડી સમાજના છે તેની બાજુમાં થી પસાર થતા રસ્તા પર થોડા સમય પહેલા મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટી અને સમાજના લોકોએ ઝોનમાં અરજી કરતાં 16 ઓગસ્ટના રોજ ડિમોલીશન કર્યું હતું. ત્યાર બાદ એક રાજકારણી દ્વારા આ મંદિર માટે ખાત મુર્હુત કરી ફરી બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવવા માટે કેટલાક ધાર્મિક સંગઠનો ને અંધારામાં રાખી તેમની મદદ લેવામા આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઉપરાંત એવા ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે, કેટલાક રાજકારણીઓની નજર આ પ્લોટ પર છે અને તેના કારણે આ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે પાલિકા એ બનાવેલા રોડ પર જ રાજકારણીના ઈશારે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે તે પાલિકા દુર કરશે કે રાજકીય દબાણ માં કોઈ કામગીરી કરશે નહીં તે તો સમય જ બતાવશે.

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...

વડોદરા નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ સ્કિલ...

વડોદરા : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને...

એન.કે. પ્રોટીન્સ એરંડાના 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો તથા...

અમદાવાદ : એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે (તિરૂપતિ એડિબલ ઓઇલ્સ)...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “પેશન્ટ સેફ્ટી વીક 2024″ની ઉજવણી...

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ એ ભારતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાંની...

યુરોકિડ્સે અમદાવાદમાં મહત્ત્વાકાંક્ષી ગ્રોથને ટાર્ગેટ કરતાં હાર્વર્ડ પ્રેરિત અભ્યાસક્રમ...

અમદાવાદ : દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના...

અમદાવાદ પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય ઉપર...

અમદાવાદ : પારૂલ યુનિવર્સિટીએ અમદાવાદમાં બોપલ ખાતે પારૂલ કોલેજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here