Monday, September 23, 2024
HomeGujaratAhmedabadસિવિલની OPDના બેઝમેન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં, મચ્છરનો ઉપદ્રવ; રોજ 3 હજારથી...

સિવિલની OPDના બેઝમેન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં, મચ્છરનો ઉપદ્રવ; રોજ 3 હજારથી વધુ દર્દીઓ સારવાર લે છે

Date:

spot_img

Related stories

પાકિસ્તાનનો નવો ‘રાવલપિંડી એક્સપ્રેસ’; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ...

ભલે તમે ગળી- મહોલ્લાના ક્રિકેટર હોવ, પરંતુ જો તમને...

ઝારખંડના રાંચીમાં મધમાખીના કરડવાથી એક જ પરિવારના ચાર લોકોના...

ઝારખંડના રાંચીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે....

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે:...

આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ...

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...
spot_img

ચોમાસાને કારણે રોગચાળો વકર્યો છે, તેમાં પણ મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ વધારો થયો છે. લોકો બીમારીની સારવાર મેળવવા માટે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી અસારવા સિવિલ હોસ્ટિલ સારવાર માટે જાય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાંથી સારવાર મેળવવા જવું કે રોગચાળો લેવા જવું તે સવાલ મોટો છે. કારણ કે, OPDમાં જ્યાં રોજ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યથી હજારો દર્દીઓ સારવાર મેળવે છે, ત્યાં જ બેઝમેન્ટમાં પાણી ભરાયાં છે અને મચ્છર થઈ રહ્યા છે, જેનો કોઈ નિકાલ સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યો નથી. ત્યારે અહીં આવનાર દર્દી ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની શકે છે. અવારનવાર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આસપાસ ભરાયેલા પાણીનો નિકાલ કરીને મચ્છરનો ઉપદ્રવ રોકવા સલાહ આપે છે ત્યારે અહીં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે અને હોસ્પિટલ જ બીમારીનું ઘર બની શકે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યૂના 247 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મલેરિયાના પણ 121 કેસ નોંધાયા છે. લોકો સિવિલમાં બીમારી થતાં સારવાર મેળવવા માટે જાય છે, પરંતુ જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તે સિવિલ હોસ્પિટલની OPDમાં આવેલા X-RAY વિભાગની બાજુમાં જ બેઝમેન્ટમાં વરસાદી અને ગંદા પાણી કેટલાય સમયથી ભરાયેલા છે. આ પાણીથી સિવિલ હોસ્પિટલ અજાણ છે કે, આંખ આડા કાન કરી રહી છે તે સવાલ છે. કારણ કે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે.

પાકિસ્તાનનો નવો ‘રાવલપિંડી એક્સપ્રેસ’; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ...

ભલે તમે ગળી- મહોલ્લાના ક્રિકેટર હોવ, પરંતુ જો તમને...

ઝારખંડના રાંચીમાં મધમાખીના કરડવાથી એક જ પરિવારના ચાર લોકોના...

ઝારખંડના રાંચીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે....

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે:...

આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ...

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here