Thursday, September 19, 2024
HomeSportsટીમ ઈન્ડિયામાં 3 દિગ્ગજોને ફરી ન મળી તક, શું હવે રિટાયરમેન્ટનો જ...

ટીમ ઈન્ડિયામાં 3 દિગ્ગજોને ફરી ન મળી તક, શું હવે રિટાયરમેન્ટનો જ વિકલ્પ રહ્યો?

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

જ્યારથી બાંગ્લાદેશ સાથે યોજાનારી ટેસ્ટ સિરીઝને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે, ત્યારથી ઘણા ખેલાડીઓને લઈને ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ટેસ્ટ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ટીમ ઈન્ડિયાના 3 દિગ્ગજ ખેલાડીઓ એવા છે જેમને સેલેકટર્સે અવગણી કાઢ્યા છે. લગભગ છેલ્લા 2 વર્ષથી આ ત્રણેય ખેલાડીઓને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી. જે બાદ લાગે છે કે, હવે આ ત્રણ ખેલાડીઓ માટે ભારતીય ટીમના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે.ચેતેશ્વર પુજારાએ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ 7 જૂન 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચમાં પૂજારાનું પ્રદર્શન એટલું ખાસ નહોતું રહ્યું. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ક્રિકેટનો મહાન ખેલાડી માનવામાં આવે છે. પૂજારાએ પ્રથમ દાવમાં 14 અને બીજી ઇનિંગમાં 27 રન બનાવ્યા હતા. આ પછી તેને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક ન મળી.અજિંક્ય રહાણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. રહાણેએ તેની છેલ્લી મેચ 20 જુલાઈ 2023ના રોજ રમી હતી. રહાણે આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. જ્યારે રહાણેને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. ત્યારથી રહાણેને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી. મયંક અગ્રવાલ આ દિવસોમાં દુલીપ ટ્રોફી 2024માં રમી રહ્યો છે. પહેલી જ મેચમાં મયંકનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. મયંકે 12 માર્ચ 2022ના રોજ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. શ્રીલંકા સામે રમતી વખતે મયંકે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 22 રન બનાવ્યા હતા. ત્યારથી મયંક ટીમ ઈન્ડિયાની બહાર છે.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here