Thursday, September 19, 2024
HomeGujaratAhmedabadગાંધીનગના રાયપુરના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવાનો કારસો

ગાંધીનગના રાયપુરના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવાનો કારસો

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના રાયપુર ગામના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ એટર્ની અને બાનાખત ઊભો કરવામાં આવ્યો હતો. આ મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ થયા બાદ ડભોડા પોલીસ દ્વારા આ ભૂમાફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, રાયપુર ગામે રહેતા કાંતિજી શંકાજી સોલંકીની વડીલોપાર્જિત 25 વીઘા જમીન આવેલી છે. વર્ષ 2015માં તેમના પિતા શંકાજી સોલંકીને લકવો હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, ત્યારથી તેઓ પથારીવશ હતા. તેમની હયાતીમાં જુલાઈના વર્ષ 2020માં કાંતિજીએ પોતાના નામે વારસાઈ દાખલ કરાવી હતી. બાદમાં 80 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારે દોઢેક વર્ષ અગાઉ જુન 2023માં કાંતિજીનાં બનેવીએ જમીનના પાવર ઓફ એટર્ની કરાર, બાનાખત થયેલા હોવાના કાગળો વોટ્સઅપથી મોકલી આપ્યા હતા.જેનાં વધુ કાગળોની નકલો કઢાવતા જાણવા મળ્યું હતું કે, જનરલ પાવર ઓફ એટર્ની કરાર તથા બાનાખત તેમના પિતાએ 2020માં અલ્કેશ ભેમાદેસાઈએ કરી આપ્યા હતા. જેની અવેજીમાં 9 લાખ રોકડા ટુકડે ટુકડે તેમજ અન્ય ચેક મળીને કુલ 11 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાની પણ વિગતો હતી. જેથી કાંતિજીએ તેમના પિતાનું બેંક એકાઉન્ટ તપાસતા કોઈ રૂપિયા જમા નહીં થયા હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં વિગતવાર પાવર ઓફ એટર્ની કરાર જોતા તેમાં તેમના પિતાનો શૂટ પહેરેલો ફોટો હતો અને સહીની જગ્યાએ અંગૂઠાનાં નિશાન પણ હતા. વાસ્તવમાં શંકાજી કોઈ દિવસ શૂટ પહેરતા નહોતા અને તેઓ સહી કરવી જાણતા હોવા છતાં તેમના અંગૂઠાનાં નિશાન કરેલા હતા. જેથી આ મામલે કાંતિજીએ કલેક્ટર સીટ સમક્ષ કરીયાદ કરી હતી જેની તપાસના અંતે અલ્કેશ દેસાઈ સામે ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here