Tuesday, June 10, 2025
HomeIndiaદિલ્હીના નવા CMની જાહેરાત આવતીકાલે થશે, ધારાસભ્યોની બેઠકમાં નામ પર લાગશે મહોર

દિલ્હીના નવા CMની જાહેરાત આવતીકાલે થશે, ધારાસભ્યોની બેઠકમાં નામ પર લાગશે મહોર

Date:

spot_img

Related stories

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની...

ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો...

વર્ચ્યુઅલ ટચ સ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની...

ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના...

ધ વેલ્થ કંપનીએ ભારતના રિયલ એસ્ટેટની ક્ષમતાનો લાભ મેળવવા...

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ...

ઝી દેશભરને ‘આપકા અપના ઝી’ સાથે ‘એક્તા’ની ઉજવણી કરવા...

ઝી ભારતની સૌથી જાણિતી અને પસંદગીની મીડિયા બ્રાન્ડ્સ છે,...

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે...

ડ્રિમ અલ્ટીમેટ ટેબલ ટેનિસ જુનિયર્સ ના સીઝન 1 માં...

ભારતના સૌથી પ્રતિભાશાળી અંડર -15 ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે...
spot_img

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. તેઓએ ગત રવિવારે 48 કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આવતી કાલે સવારે 11: 30 વાગ્યે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક થશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે.

રાજીનામા સાથે જ નવા CM ની થશે જાહેરાત :

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલ રાજીનામાની સાથે જ LG ને ધારાસભ્ય દળના નેતાનું નામ અને સમર્થનની ચિઠ્ઠી પણ આપશે. જણાવી દઈએ કે, કેજરીવાલે જાહેરાત કરી હતી કે, બે દિવસમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને કોર્ટમાં જશે. તેઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી દિલ્હીની જનતા તેમની પ્રામાણિકતાને મત નહીં આપે ત્યાં સુધી તે મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે.આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પૉલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ શકે છે. બેઠક પહેલાં AAP ના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં.

નવા મુખ્યમંત્રીના નામ પર સૌરભ ભારદ્વાજે જવાબ આપ્યો :

સોમવારે AAP ના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નવા મુખ્યમંત્રીના નામ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટીને લઈને જબરદસ્ત નારાજગી છે. તે ચૂંટાયેલા મુખ્યમંત્રીની પાછળ પડી ગઈ છે અને પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમ છતાં (કેજરીવાલ) જેલથી બહાર નીકળ્યા તો તેમણે સત્તાનું સુખ ન ભોગવ્યું. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી જનતા નહીં કહે, હું આ ખુરશી પર નહીં બેસું. કેજરીવાલને વડાપ્રધાનના ઈશારે ફસાવવામાં આવ્યા છે અને હવે તેમના ષડ્યંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.’

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની...

ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો...

વર્ચ્યુઅલ ટચ સ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની...

ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના...

ધ વેલ્થ કંપનીએ ભારતના રિયલ એસ્ટેટની ક્ષમતાનો લાભ મેળવવા...

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ...

ઝી દેશભરને ‘આપકા અપના ઝી’ સાથે ‘એક્તા’ની ઉજવણી કરવા...

ઝી ભારતની સૌથી જાણિતી અને પસંદગીની મીડિયા બ્રાન્ડ્સ છે,...

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે...

ડ્રિમ અલ્ટીમેટ ટેબલ ટેનિસ જુનિયર્સ ના સીઝન 1 માં...

ભારતના સૌથી પ્રતિભાશાળી અંડર -15 ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here