Thursday, September 19, 2024
HomeGujaratવિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરાશે

વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરાશે

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

વડોદરા : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની પાસે નદી કાંઠાના બાંધકામ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિ.કમિશનર દિલીપ રાણાને સુપ્રત કર્યો છે. હવે કોર્પોરેશન વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં ગેરકાયદે વસાહતો હોય કે ગેરકાયદે બાંધકામ તમામને નોટિસ આપવામાં આવશે. સાથે-સાથે જે પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવીને નદીનો પટ ખુલ્લો કરાવવામાં પ્રયત્ન કરાશે.વિશ્વામિત્રી નદીના રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે 2005 થી કામગીરી શરૂ થઇ હતી. કોર્પોરેશન હાલમાં મેપિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી થયેલી કામગીરી બાદ રાજ્ય સરકાર દ્વારા રૂા.1200 કરોડનો પ્રોજેકટ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે જેના આધારે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રી પ્રોજેકટને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીને સર્વે કરવાની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં ખાનગીના કર્મચારીઓની અલગ અલગ ટીમોએ હરણીથી લઇ મુજમહુડા સુધી સર્વે કર્યો હતો. ખાનગી કંપનીએ ગુગલથી પણ વિશ્વામિત્રી નદીની આસપાસના તમામ વિસ્તારનું મેપિંગ કર્યું હતું. ખાનગી કંપનીએ વિશ્વામિત્રી નદીની આસપાસનું મેપિંગ અને સર્વે કર્યા બાદ હવે મ્યુનિ.કમિશનર આવતીકાલે એક બેઠક યોજી આગળની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી ગેરકાયદે બાંધકામો અને વસાહતોને નોટિસ આપવાની કાર્યવાહી કરશે. જ્યારે કોર્પોરેશન દ્વારા જીડીસીઆરના નિયમ પ્રમાણે જેઓને બાંધકામ પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવી નદી કાંઠાનું દબાણ હટાવવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવશે.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here