Wednesday, March 11, 2026
HomeIndiaયુપીમાં મોટી દુર્ઘટના, હાઈટેન્શન તાર પડતાં 7 ઘર લપેટાયા, 38 લોકો દાઝી...

યુપીમાં મોટી દુર્ઘટના, હાઈટેન્શન તાર પડતાં 7 ઘર લપેટાયા, 38 લોકો દાઝી જતાં ખળભળાટ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

ઉત્તર પ્રદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. કન્નૌજના ગુરસહાયગંજમાં વરસાદ બાદ ઘરની ઉપરથી પસાર થતો હાઈટેન્શન તાર તૂટી પડતાં સાત ઘર તેમાં લપેટાયા છે. ઘરમાં હાજર 38 લોકો વીજ કરંટની લપેટમાં આવવાથી દાઝી ગયા છે. ઘરોમાં વીજ ઉપકરણો પણ બળીને ખાખ થઈ ગયા છે. સબ સેન્ટરમાં જાણ કર્યા બાદ પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો અને અડધો ડઝન લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની સૂચના મળતા જ કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ :
બુધવારે સાંજે 7:00 વાગ્યે ગુરસાહાયગંજમાં હાઈ ટેન્શન લાઈનનો એક તાર તૂટીને એક ઘરની છત પર પડ્યો હતો. નન્હે અલી, અબ્દુલ ગફાર, હસીબ અને મોહમ્મદ નાયાબ વગેરેના પરિવારના બાળકો, મહિલાઓ અને પુરૂષો કરંટની લપેટમાં આવી ગયા છે. ઈલેક્ટ્રીક શોક લાગવાથી બધા બેભાન થઈ ગયા હતા. અનેક લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સબ સેન્ટરને જાણ કર્યા બાદ સપ્લાય બંધ થઈ ગયો હતો. રેફ્રિજરેટર, કુલર, ઈન્વર્ટર વગેરે ઉપકરણો બળી ગયા હતા. ઘટનાને લઈને લોકોમાં વીજ વિભાગ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.

ગુરસહાયગંજના એસડીઓ બ્રજેશ કુમાર સરોજે જણાવ્યું કે, વરસાદના કારણે સર્જાયેલી ખામીને કારણે ઘરોની છત પર હાઈટેન્શન તાર પડ્યો હતો. વીજ લાઈન પહેલાથી જ ત્યાંથી નીકળી છે અને ત્યારબાદ લોકોએ તેની નીચે ઘર બનાવ્યા છે. જેના કારણે ઘરોની છત પર હાઈટેન્શન તાર પડ્યો છે.કાર્યપાલક ઈજનેર આર.કે. ભારતીએ જણાવ્યું કે, વીજલાઈન જૂની છે તેમ છતાં લોકોએ લાઈનની નીચે પોતાના ઘરો બનાવી લીધા છે. ઘટના સંદર્ભે વિગતવાર માહિતી માટે SDO સાથે ચર્ચા કરવામાં આવશે અને મામલાની તપાસ કરાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here