Friday, June 5, 2026
HomeGujaratAhmedabadભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. આ મેળામાં દૂર દૂરથી આવતા લાખોમાં ભક્તો માટે માતાજીના પ્રસાદ તરીકે વપરાતા મોહનથાળનો પ્રસાદ એજન્સીને બનાવવા આપ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે 10,000થી વધુ કિલોનો મોહનથાળ પ્રસાદ પડી રહ્યો છે. જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થવા જાય છે.તાજેતરમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં રાજકીય નેતાઓના જમણવારના ખર્ચનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં 30 લાખની કિંમતનો મોહનથાળ પડયો રહેતા મંદિર ટ્રસ્ટમાંથી એજન્સીને બીલનું ચૂકવણું કરવામાં આવશે કે કેમ તે આવનાર સમય બતાવશે. ભાદરવી પૂનમ અગાઉ મોહનતાની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આશ્વર્યની વાત એ છે કે ભાવોને નહીં ખોલીને આ એજન્સીને બારોબાર ભાદરવી પૂનમ માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવ્યો હતો. અબાજીમાં ભાદરવી પૂનમનો મેળા સમાપન થતાં 10,000 થી વધુ કિલોનો મોહનથાળનો પ્રસાદ પડી રહ્યો છે. મંદિરના વહીવટદાર કહે છે કે હું આ જાણતો જ નથી. એજન્સીના જવાબદાર અધિકારી કહે છે કે અમને મંદિરે કીધું તે પ્રમાણે અમે પ્રસાદ બનાવ્યો છે. વધારાનો પ્રસાદ બનાવવમાં છે તેના રૂપિયા મંદિર દ્વારા ચૂકવવામાં આવશે. શું એજન્સીના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી આવા અનેક સવાલો માઈ ભક્તોમાંથી ઉઠવા પામ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વારંવાર આ એક જ એજન્સીને કોન્ટ્રાક્ટર કેમ આપવામાં આવે છે આના ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વધારાનો પ્રસાદનું બિલ પણ ન ચૂકવવું જોઈએ તેવી માંગ ભક્તોમાં ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, મેળાના 7 દિવસ દરમિયાન 19 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ વર્ષે અંદાજીત 32.54 લાખ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારે 1 બોક્સમાં 100 ગ્રામ લેખે 7 દિવસમાં 2 લાખ કિલો મોહનથાળનું વેચાણ થયું છે. જેની સામે ફીક્કી પડેલી ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા હતા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here