Saturday, September 21, 2024
HomeGujaratAhmedabadવિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર 'કલર'કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો ગાંધીનગર પહોંચતા વિતરણ...

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો ગાંધીનગર પહોંચતા વિતરણ અટકાવાયું

Date:

spot_img

Related stories

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

રોકાણકારોની સંપત્તિમાં રૂ.6.24 લાખ કરોડનો વધારો

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે વ્યાજ દરમાં અપેક્ષાથી વધુ...
spot_img

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8-9ની વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવામાં આવે છે. ત્યારે આ સાયકલોને લઈને એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. સૌથી પહેલા રાજ્ય સરકારે સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવ્યા હોવાના આરોપ લાગ્યા છે. ત્યારબાદ ખરીદાયેલી હજારો સાયકલો ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હવે આ સમયસર વિતરણ ન કરેલી અને કટાયેલી સાયકલો પર કલરકામ કરવાનું તરકટ સામે આવ્યું છે.

આ સાયકલની મદદથી વિદ્યાર્થીનીઓ સમયસર અને નિયમિત શાળાએ પહોંચી શકે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સાયકલનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ યોજના હેઠળ 2023ના શાળા મહોત્સવમાં વિતરણ માટે ખરીદાયેલી સાયકલો ભંગાર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. હજારો સાયકલો ખેતરોમાં અને ગોડાઉનોમાં ધૂળ-કાટ ખાઈ ગઈ છે. ત્યારે હવે આ ભંગાર થઈ ગયેલી સાયકલો પર બેદરકારી છૂપાવવાનું કલરકામ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેને નવી જેવી બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.રંગકામનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે. આ મામલો ગંભીર બનતા મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવી દેવાની સૂચના અપાઈ છે. કેટલાક જિલ્લાઓમાં તો આ સાયકલો હટાવી લેવા માટેના પરિપત્રો પણ જાહેર કરી દેવાયા છે. ગાંધીનગરના સેક્ટર 3માં ગાંધીનગર તાલુકાની શાળાઓ માટેની સાયકલો રાખવામાં આવી છે. આશ્ચર્યનક રીતે આ સાયકલો પર નવેસરથી રંગકામ કરાઈ રહ્યું છે, જે અનેક સવાલો ઉભા થયા છે. આ સાયકલો સમયસર વિતરણ ના કરવા પર કોઈ કાર્યવાહી કેમ ના થઈ? હવે આ સાયકલો પર ફરી રંગકામ કરીને વધુ ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારબાદ હવે સાયકલોનું વિતરણ અટકાવ્યા બાદ સાયકલનું શું કરાશે? જનતાના કરોડો રૂપિયા પર પાણી ફેરવનાર પર ક્યારે કાર્યવાહી થશે? આ સમગ્ર ઘટનાને કૌભાંડ તરીકે પણ જોવામાં આવી રહી છે. ત્યારે શું તેના માટે જવાબદાર સામે સરકાર કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

રોકાણકારોની સંપત્તિમાં રૂ.6.24 લાખ કરોડનો વધારો

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે વ્યાજ દરમાં અપેક્ષાથી વધુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here