Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadશાર્પનર શોધતી બીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે ફટકારી

શાર્પનર શોધતી બીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે ફટકારી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

શહેરમાં સ્કૂલના ટીચર દ્વારા વિદ્યાર્થીઓને મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થલતેજમાં આવેલી સંત કબીર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યા‌િર્થનીને તેનાં ક્લાસ ટીચરે માર મારીને બહાર કાઢી મૂકતાં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગઇ કાલે વિદ્યા‌િર્થની પોતાની બેન્ચ પર બેઠી હતી ત્યારે તેનું શાર્પનર નીચે પડી ગયું હતું. વિદ્યા‌િર્થની શાર્પનર શોધતી હતી તે સમયે ટીચરે તેને માર માર્યો હતો.
સેટેલાઇટ વિનાયક રે‌િસડન્સીમાં રહેતા એક દંપતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સંત કબીરનાં ટીચર વિરુદ્ધમાં માર મારવાની ફરિયાદ કરી છે. દંપતીની આઠ વર્ષની દીકરી સંત કબીર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
સવારના સાતથી દોઢ વાગ્યા સુધીનો વિદ્યા‌િર્થનીનો સ્કૂલનો સમય છે. દિવાળી વેકેશન પૂરું થયા બાદ ગઇ કાલે વિદ્યા‌િર્થનીનો સ્કૂલમાં બીજો દિવસ હતો ત્યારે ક્લાસ ટીચર અનીતા ચોપરાએ તેને માર મારીને ક્લાસની બહાર કાઢી મૂકીને પનીશમેન્ટ કરી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યા‌િર્થની તેની બેન્ચ પર બેઠી બેઠી ભણતી હતી ત્યારે તેનું શાર્પનર નીચે પડી ગયું હતું. વિદ્યા‌િર્થની બેન્ચની નીચે જઇને શાર્પનર શોધતી હતી ત્યારે ટીચર અનીતા ચોપરા તેની જોડે આવ્યાં હતાં અને તમારે ભણવું હોતું નથી અને મસ્તી કરો છે તેમ કહીને માર માર્યો હતો.
અનીતાએ વિદ્યા‌િર્થનીને માર્યા બાદ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂકીને પનીશમેન્ટ કરી હતી. સ્કૂલથી છૂટીને વિદ્યા‌િર્થની ઘરે આવી ત્યારે તે અચાનક રડવા લાગી હતી. વિદ્યા‌િર્થનીને રડતી જોઇને તેનાં માતાપિતાએ શું થયું તેમ પૂછ્યું હતું. અનીતા ટીચરે તેની સાથે કરેલા વર્તનની જાણ કરતાં ગઇ કાલે સાંજે વિદ્યા‌િર્થનીના માતાપિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સંત કબીર સ્કૂલના પ્રિ‌િન્સપાલ પ્રજ્ઞાબહેન પંડ્યાએ જણાવ્યું કે આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી, જો આવી ઘટના બની હોય તો વાલીએ અમારી પાસે આવી જણાવવું જોઈએ, પરંતુ તે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયા છે. આ પ્રકારનો કોઈ બનાવ બન્યો નથી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here