
Ahmedabad-Delhi air fare: કોઈ અગત્યના કારણથી ફ્લાઈટ દ્વારા અચાનક જ દિલ્હી જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધુ ભાડું ચૂકવવા તૈયારી રાખવી પડશે. અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધીને રૂપિયા 21 હજારને પાર થઈ ગયું છે.
રજાઓ છેલ્લી ઘડીએ મંજૂર થયાબાદ છેલ્લે છેલ્લે પ્રવાસનું આયોજન કરનારાઓએ પણ પ્રવાસ માટે ચાર થી પાંચ ગણું એરફેર ચૂકવવું પડશે . અમદાવાદથી દિલ્હીની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ દિવાળી અગાઉ એટલે કે 30 ઓક્ટોબરના મહત્તમ એરફેર રૂપિયા 21 હજાર જોવા મળે છે. અમદાવાદથી દુબઇ માટે વન-વે એરફેર રૂપિયા રૂપિયા 13340 છે. આમ, દિલ્હી કરતાં પણ દુબઇ જવું વધારે મોંઘુ થયું છે. દિલ્હીથી અમદાવાદનું વન-વે એરફેર આ જ અરસામાં રૂપિયા 2500થી રૂપિયા 4100ની આસપાસ છે.
આ સિવાય અમદાવાદથી ચેન્નાઈ માટે રૂપિયા 19398, કોલકાતા માટે રૂપિયા 17318 જ્યારે ચંડીગઢ-ગોવા માટે રૂપિયા 13 હજારથી વધુ એરફેર છે. જાણકારોના મતે, એરલાઇન્સ દ્વારા દિવાળીના મહિનાઓ પહેલા જ અમુક ટિકિટ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળી નજીક આવે તેમ તેઓ વધુ ભાવ સાથે આ ટિકિટ રિલિઝ કરવા લાગે છે.